મરાઠા સામ્રાજ્યના મહાન યૌદ્ધાઓને જ્યારે જ્યારે પણ યાદ કરવામાં આવે છે ત્યારે બાજીરાવ પેશવાનું નામ અત્યંત ગર્વથી લેવામાં આવે છે. ઈતિહાસના પન્ને અંકિત થયેલા મહાન, વીર યોદ્ધા બાજીરાવ બલ્લાલ ભટ્ટનો જન્મ 18 ઓગષ્ટ 1700ની સાલમાં થયો હતો. તે મરાઠા સામ્રાજ્યના પેશવા હતા અને છત્રપતિ શાહૂ મહારાજના સૌથી વિશ્વસનીય સેનાપતિ પણ હતા. મરાઠાઓના પેશવા બાજીરાવે તેની જિંદગીંમાં 41 યુદ્ધો લડ્યા અને એ તમામ લડાઈમાં તેઓ અજેય રહ્યા હતા. તેમને કોઈ હરાવી શક્તુ ન હતુ. પરંતુ સદાય અજેય રહેલા આ યૌદ્ધાની પ્રેમ કહાની અત્યંત સંઘર્ષ, વિરહ અને કરૂણતાથી ભરેલી રહી અને એ જ કારણે વિયોગમાં જ અત્યંત નાની ઉમરે જીવલેણ તાવના કારણે તેમનો જીવ ગયો હતો. બુંદેલખંડમાં પ્રથમવાર થઈ હતી બાજીરાવ અને મસ્તાનીની મુલાકાત બાજીરાવ પેશવાની પ્રેમ કહાની મરાઠા ઈતિહાસની અમર પ્રેમ કહાની છે.જેની શરૂઆત બુંદેલખંડની ચડાઈ વખતે થઈ હતી. ડિસેમ્બર 1728માં મુઘલ સુબેદાર મોહમ્મદખાન બંગશ બુંદેલખંડ પર હુમલો કરવાની તૈયારીમાં હતો. ત્યારે મહારાજા છત્રસાલને એ ખબર હતી કે તેઓ આ હુમલાનો સામનો કરી...
Published On - 8:20 pm, Wed, 12 February 25