અજાન વિવાદ વારાણસી પહોંચ્યો, હિંદુ સંગઠનોએ ઘરની છત પરથી વગાડી હનુમાન ચાલીસા

|

Apr 15, 2022 | 12:27 PM

વારાણસીમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડનારા લોકોનું કહેવું છે કે અજાનના (Azan) કારણે તેના વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.

અજાન વિવાદ વારાણસી પહોંચ્યો, હિંદુ સંગઠનોએ ઘરની છત પરથી વગાડી હનુમાન ચાલીસા
Azan Controversy

Follow us on

મહારાષ્ટ્રથી (Maharashtra) શરૂ થયેલો અજાન વિવાદ (Azan Controversy) હવે ઉત્તર પ્રદેશના વારાણસી સુધી પહોંચી ગયો છે. વારાણસીમાં અજાનના જવાબમાં હનુમાન ચાલીસા (Hanuman Chalisa) શરૂ કરવામાં આવી છે. તેની શરૂઆત શ્રી કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ ચળવળના પ્રમુખ સુધીર સિંહ દ્વારા તેમના ઘરની છત પરથી કરવામાં આવી છે. મુંબઈથી (Mumbai)  શરૂ થયેલી લાઉડસ્પીકરની લડાઈ હવે વેગ પકડી રહી છે. વારાણસીમાં અજાનના જવાબમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવી રહી છે. કાશીમાં અજાનના જવાબમાં હનુમાન ચાલીસા શરૂ કરવા પર, મુસ્લિમ સમુદાયનું માનવું છે કે તે જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ આસ્થા સાથે શરૂ કરવામાં આવ્યું છે કે જબરદસ્તીથી શરૂ કરવામાં આવ્યું છે.

હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરતા વિવાદ વણસ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસ્લિમ ધર્મગુરુનું કહેવું છે કે હનુમાન ચાલીસા હોય કે ગાયત્રી મંત્ર, જો તેને ચર્ચામાં લેવાનું શરૂ કરવામાં આવે તો તેની કોઈ યોગ્યતા રહેશે નહીં. બીજી તરફ હિન્દુ સમુદાયના લોકો ગુરુવારે પણ લાઉડ સ્પીકર લગાવીને હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, અજાનના જોરદાર અવાજને કારણે કેટલાક લોકોએ પોતાના ઘરની ઉપર હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા હતા.

અજાન પર વિવાદ યથાવત

વારાણસીમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા શરૂ કરનારા લોકોનું કહેવું છે કે અજાનના કારણે તેના વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. તેનાથી છુટકારો મેળવવા માટે તેણે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા.તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. થાણેમાં એક રેલીમાં, રાજ ઠાકરેએ તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ. આ માટે ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને 3 મે પહેલા પગલાં લેવાનું અલ્ટીમેટમ પણ આપ્યું.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

ઠાકરે મહા આરતી કરશે

ઠાકરેએ વધુમાં કહ્યું કે જો 3 મે પહેલા મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ સાથે જ રાજ ઠાકરે આજે પુણેના પ્રવાસે છે. આ પ્રવાસમાં પ્રથમ વખત રાજ ઠાકરેની હાજરીમાં સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : અજાન પર આપતિ : રાજ ઠાકરે આજથી પુણેની મુલાકાતે, સામૂહિક રીતે હનુમાન ચાલીસાના થશે પાઠ