રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય શનિવારે આવ્યો છે. સદીઓથી અયોધ્યામાં આ વિવાદ ચાલી રહ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બેંચે ચુકાદો પસાર કરતી વખતે વિવાદિત જમીન રામ જન્મભૂમિ ન્યાસને સોંપી છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ જગ્યાએ જગ્યા આપવા જણાવ્યું છે. એટલે કે અદાલતે સુન્ની વાફ બોર્ડને અયોધ્યામાં જ અલગ જમીન આપવાનો આદેશ આપ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
1989 ની સામાન્ય ચૂંટણી પૂર્વે, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને નિવૃત્ત ન્યાયાધીશ દેવકી નંદન અગ્રવાલે 1 જુલાઇએ ફૈઝાબાદની કોર્ટમાં ભગવાન રામના મિત્ર તરીકે પાંચમો દાવો કર્યો હતો. તે દાવાને સ્વીકારવામાં આવ્યો હતો કે 23 ડિસેમ્બર 1949 ના રોજ, રામ ચબુતરાની મૂર્તિઓને મસ્જિદની અંદર રાખવામાં આવી હતી. આ સાથે સ્પષ્ટપણે દાવો કરવામાં આવ્યો હતો કે જન્મ સ્થળ અને ભગવાન રામ બંને આદરણીય છે અને તે આ સંપત્તિના માલિક પણ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બાબરી મસ્જિદ-અયોધ્યા રામ મંદિર કેસના 10 તથ્યો, જે અંતિમ નીર્ણય પહેલા જાણવા જરૂરી છે!