આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પોને ફરીથી સક્રિય કરી દીધા છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં આર્મી ચીફે કહ્યું કે ભારતની એરસ્ટ્રાઈકમાં બાલાકોટને ધ્વસ્ત કરી દેવામાં આવ્યુ હતુ પણ છેલ્લા 8 મહિનામાં પાકિસ્તાન આ જગ્યા પર ફરીથી આતંકી ગતિવિધીઓ કરવા લાગ્યા છે.
26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ સ્ટ્રાઈકમાં જૈશના ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આર્મી ચીફને જ્યારે પુછવામાં આવ્યું કે આ વખતે પણ શું ભારતીય સેના એરસ્ટ્રાઈક કરશે તો તેમને કહ્યું કે આપણે એરસ્ટ્રાઈકને જ કેમ રીપીટ કરીશુ. તેનાથી આગળ કેમ નથી જઈ શકતા. આર્મી ચીફે કહ્યું કે સેનાએ સીમા પર પૂરી તૈયારી કરી છે અને નિયંત્રણ રેખા પર વધારે સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.
આર્મી ચીફે કહ્યું કે આતંકીઓને ભારતની અંદર ઘુસણખોરી કરાવવા માટે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે પણ આ પરિસ્થિતીઓમાં તેમનો સામનો કેવી રીતે કરવો એ અમે જાણીએ છીએ. ચેન્નાઈમાં જનરલ બિપિન રાવતે કહ્યું કે અમારી સેનાને જાણ છે કે કેવી રીતે પોઝિશન લેવામાં આવે અને કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે. અમે એલર્ટ છીએ અને અમે નક્કી કરીશુ કે ઘુસણખોરીની ઘટનાઓને ખત્મ કરી દેવામાં આવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો