આંધ્રપ્રદેશ : ગેસ લીક ​​થવાથી ભીષણ આગ, 6 લોકોના મોત, CM મોહન રેડ્ડીએ 25 લાખના વળતરની કરી જાહેરાત

Andhra Pradesh Fire : ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં (Fire) છ લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.

આંધ્રપ્રદેશ : ગેસ લીક ​​થવાથી ભીષણ આગ, 6 લોકોના મોત, CM મોહન રેડ્ડીએ 25 લાખના વળતરની કરી જાહેરાત
File Photo
| Edited By: | Updated on: Apr 14, 2022 | 9:48 AM

આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) એલુરુ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં છ લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મસુનુરુ મંડલના અક્કીરેડ્ડી ગુડેમમાં આવેલી પોરસ કેમિકલ ફેક્ટરીમાં  (Chemical factory) ગેસ લીક ​​થવાને કારણે રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન આગમાં 5 લોકો દાઝી ગયા હતા અને બાદમાં હોસ્પિટલ લઈ જતા રસ્તામાં 1 વ્યક્તિનું મોત થયું હતુ. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં (Fire Accident) 13 લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ

મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તોને વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં લગભગ 17 કામદારો હાજર હતા.આ અકસ્માત એલુરુ જિલ્લાના રેડ્ડીગુડેમમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, મસનૂર ઝોનમાં આવેલી પોરસ લેબમાં બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના મંગળવાર રાત્રે બની હતી.

CM મોહન રેડ્ડીએ વળતરની જાહેરાત કરી

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 25 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટે એસપીને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.ઉપરાંત મુખ્યમંત્રીએ અધિકારીઓને ઈજાગ્રસ્તોને સંપૂર્ણ તબીબી સહાય પૂરી પાડવા આદેશ કર્યા છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો  : Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત

આ પણ વાંચો  : Pensioners માટે ખુશખબર : સરકારે તમારા માટે નવું પોર્ટલ શરૂ કર્યું જ્યાં હલ થશે પેન્શન અંગેની તમામ ફરિયાદ