Amarnath Yatra 2022: બે વર્ષ બાદ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ ચાલશે, શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

|

Mar 27, 2022 | 5:17 PM

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે રવિવારે કહ્યું કે, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે. આ યાત્રા તમામ કોવિડ પ્રોટોકોલ હેઠળ શરૂ થશે અને 43 દિવસ સુધી ચાલશે, આ યાત્રા રક્ષાબંધન પર સમાપ્ત થશે.

Amarnath Yatra 2022: બે વર્ષ બાદ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ ચાલશે, શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
Amarnath Yatra - File Photo

Follow us on

Amarnath Yatra 2022: જમ્મુ અને કાશ્મીરના (Jammu & Kashmir) લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે રવિવારે કહ્યું કે, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે. આ યાત્રા તમામ કોવિડ પ્રોટોકોલ હેઠળ શરૂ થશે અને 43 દિવસ સુધી ચાલશે, આ યાત્રા રક્ષાબંધન પર સમાપ્ત થશે. અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB)એ ભૂતકાળમાં કહ્યું હતું કે, અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ઓનલાઈન નોંધણી એપ્રિલથી શરૂ થશે. એપ્રિલથી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી શરૂ કરવાની જાહેરાત કરતા શ્રાઈન બોર્ડે કહ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના હિમાલય પ્રદેશમાં તીર્થયાત્રીઓની અવરજવર માટે RFID આધારિત ટ્રેકિંગ કરવામાં આવશે.

જમ્મુના ડિવિઝનલ કમિશનર રાઘવ લેંગરની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન SASBના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રાહુલ સિંહે આગામી યાત્રાની વ્યવસ્થાઓની સમીક્ષા કરતી વખતે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે. દરરોજ 20,000 નોંધણી થશે.

તેમણે કહ્યું કે મુસાફરીના દિવસોમાં ઓન-સ્પોટ (તત્કાલ) નોંધણી પણ નિયુક્ત કાઉન્ટર પર કરવામાં આવશે. રાહુલ સિંહે કહ્યું કે અમરનાથ યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોર્ડે આ વર્ષની યાત્રા દરમિયાન વાહનો અને યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવા માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)નો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ વર્ષે ભક્તોની સંખ્યામાં વધારો થશે

જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ ધામની વાર્ષિક તીર્થયાત્રામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓ માટે 20 હજારની ક્ષમતા ધરાવતો યાત્રી નિવાસ બનાવી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. જમ્મુના ડિવિઝનલ કમિશનર રાઘવ લંગરે જણાવ્યું હતું કે વર્ષ 2020 અને 2021માં કોવિડ-19ને કારણે 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત અમરનાથ ગુફાની યાત્રાનું આયોજન પ્રતીકાત્મક રીતે કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘણી વધારે રહેવાની આશા છે. તેમણે કહ્યું કે, આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે, જેનાથી આ વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો થવાની અપેક્ષા છે, જે છેલ્લા બે વર્ષથી કોવિડ-19ને કારણે મંદી હતી.

આ પણ વાંચો : Birbhum Violence: બીરભૂમ હત્યાકાંડ એક મોટું કાવતરું, બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે: મમતા બેનર્જી

આ પણ વાંચો : શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, ‘માતોશ્રી’ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ

Next Article