માર્ચ 2020 સુધી એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમનું વેચાણ થઈ જશે?

|

Nov 17, 2019 | 6:00 AM

આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર નવા નવા પગલાં ભરી રહી છે. ત્યારે માર્ચ-2020 સુધી એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને વેચવાની તૈયારીઓ થઈ રહી છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો […]

માર્ચ 2020 સુધી એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમનું વેચાણ થઈ જશે?

Follow us on

આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર નવા નવા પગલાં ભરી રહી છે. ત્યારે માર્ચ-2020 સુધી એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને વેચવાની તૈયારીઓ થઈ રહી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર તેમના વેચાણની પ્રક્રિયા માર્ચ સુધી પુરી કરી લેવા ઈચ્છે છે. સરકારને આ 2 કંપનીઓને વેચવાથી 1 લાખ કરોડના ફાયદાની અપેક્ષા છે. નાણામંત્રીએ કહ્યું કે એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ થયા પહેલા જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગયા વર્ષે રોકાણકારોને એર ઈન્ડિયાને ખરીદવામાં વધારે ઉત્સાહ જોવા મળ્યો નહતો, તેથી તેનું વેચાણ નહતું થયું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નાણામંત્રીને અપેક્ષા હતી કે ઘણા ક્ષેત્રોમાં સુધારાથી GST કલેક્શન વધશે. તે સિવાય સુધારાના પગલે ટેક્સ વસૂલાતમાં પણ વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે નિર્ણય આપ્યો છે. તેનાથી ખુબ જ સુધારો જોવા મળ્યો છે અને આગામી ત્રિમાસિકમાં તેનો પ્રભાવ બેન્કોની બેલેન્સ શીટ પર જોવા મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે સમય પર જરૂરી પગલા લેવામાં આવ્યા છે અને ઘણા ક્ષેત્રો હવે સુસ્તીમાંથી બહાર નીકળી રહ્યા છે. ઘણા ઉદ્યોગોના માલિકોને કહેવામાં આવ્યું છે કે તેમની બેલેન્સ શીટમાં સુધારો કરે અને તેમાંથી ઘણા રોકાણની તૈયારી કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ વસૂલાતમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ દ્વારા આવક વધારવા માગે છે. લોકોમાં ફેરફાર આવ્યો છે કારણ કે તહેવારો દરમિયાન બેન્કોએ 1.8 લાખ કરોડની લોન આપી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે જો ગ્રાહકોની આર્થિક સ્થિતી સારી ન હોત તો તે બેન્કોમાંથી લોન લેવા માટેનો વિચાર જ કેમ કરતા? અને આ સમગ્ર દેશમાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article