તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ થઇ રહ્યુ છે મંદિરનું શુદ્ધિકરણ, જાણો કઇ કઇ વિધિ કરવામાં આવશે

|

Sep 23, 2024 | 10:31 AM

મંદિરને પંચગવ્યથી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. તિરુપતિ દેવસ્થાનમ દ્વારા પ્રાયશ્ચિત માટે આ વિધિ શરૂ કરવામાં આવી છે. ધાર્મિક વિધિનો હેતુ ભૂલને સુધારવા અને મંદિરની પવિત્રતા જાળવવાનો છે. અનુષ્ઠાન માટે મહાશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ થઇ રહ્યુ છે મંદિરનું શુદ્ધિકરણ, જાણો કઇ કઇ વિધિ કરવામાં આવશે

Follow us on

તિરુપતિ મંદિરના પ્રસાદમાં  પશુઓની ચરબી અને માછલીના તેલની ભેળસેળ હોવાનો વિવાદ હવે વધુને વધુ વકરી રહ્યો છે, બીજી તરફ  રિપોર્ટમાં પ્રસાદમાં પશુઓની ચરબી હોવાનું સામે આવ્યા બાદ  એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. વિવાદ વચ્ચે મંદિરને શુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં શુદ્ધિકરણ માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે.

મહાશાંતિ યજ્ઞનું આયોજન

મંદિરને પંચગવ્યથી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. તિરુપતિ દેવસ્થાનમ દ્વારા પ્રાયશ્ચિત માટે આ વિધિ શરૂ કરવામાં આવી છે. ધાર્મિક વિધિનો હેતુ ભૂલને સુધારવા અને મંદિરની પવિત્રતા જાળવવાનો છે. અનુષ્ઠાન માટે મહાશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મંદિરને પાંચ પવિત્ર વસ્તુઓથી શુદ્ધ કરવાની વિધિ

તિરુપતિ મંદિરમાં શુદ્ધિકરણ વિધિઃ સમગ્ર સ્થળને પંચગવ્ય એટલે કે પાંચ પવિત્ર વસ્તુઓથી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. પંચગવ્યમાં ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબરનો સમાવેશ થાય છે. આ પછી, લાડુ પોટ્ટુ એટલે કે લાડુ બનાવે છે તે રસોડું અને અન્નપ્રસાદમ પોટુ એટલે કે પ્રસાદ બનાવતા રસોડામાં શુદ્ધિકરણ કરવામાં આવશે.

Chana Dal : ચણાની દાળ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર જોવા મળશે?
અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત

8 પૂજારી, 3 આગમન સલાહકારો

મંદિરના શુદ્ધિકરણ દરમિયાન 11 ખાસ લોકો હાજર રહેશે. 8 પુજારી અને 3 આગમા સલાહકારો પંચગવ્યથી સમગ્ર તિરુમાલા મંદિર પરિસરને શુદ્ધ કરવામાં સામેલ થશે. આ માટે, ધાર્મિક વિધિનો સમય સવારે 6:00 વાગ્યે શરૂ થયો હતો અને સવારે 10 વાગ્યા સુધીનો હતો, આ માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. તિરુપતિ તિરુમાલા લાડુ વિવાદ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

શું છે સમગ્ર વિવાદ ?

વાસ્તવમાં, તાજેતરમાં તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની ભેળસેળનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અનેક લોકોએ તેની સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલાને લઈને ખુદ આંધ્રપ્રદેશના સીએમએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે કરોડો શ્રદ્ધાળુઓની ભાવનાઓ, પરંપરાઓ અને ધાર્મિક પ્રથાઓ સાથે રમત રમી શકાય નહીં. દોષિત કર્મચારીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Next Article