એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ હવે રેલવે સ્ટેશન પર ADANIનું ફોકસ, મુંબઈ-દિલ્લી માટે લગાવી બોલી

|

Jan 16, 2021 | 2:18 PM

અદાણી ગ્રુપ (ADANI GROUP) દ્વારા એરપોર્ટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.  તો એરપોર્ટનું સંચાલન કર્યા બાદ હવે રેલવે સ્ટેશનનું સંચાલન કરવા ઉપર મહેનત કરી રહ્યા છે.

એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ હવે રેલવે સ્ટેશન પર ADANIનું ફોકસ, મુંબઈ-દિલ્લી માટે લગાવી બોલી
Gautam Adani

Follow us on

અદાણી ગ્રુપ (ADANI GROUP) દ્વારા એરપોર્ટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.  તો એરપોર્ટનું સંચાલન કર્યા બાદ હવે રેલવે સ્ટેશનનું સંચાલન કરવા ઉપર મહેનત કરી રહ્યા છે.

આ વચ્ચે અદાણી (ADANI) ગ્રુપની કંપની સહિત 10 ગ્રુપએ 1642 કરોડ રૂપિયાની પરિયોજના હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CST) રેલ્વે સ્ટેશનના(RAILWAY STATION)  પુનર્વિકાસ માટે બોલી લગાવી છે. શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ રેલ્વે સ્ટેશન યુનેસ્કો (UNESCO)સર્ટિફાઇડ ગ્લોબલ હેરિટેજ લીસ્ટમા શામેલ છે. ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ (IRSDC) ના જણાવ્યા અનુસાર આ રેલ્વે સ્ટેશનનો વિકાસ ચાર વર્ષમાં જુદા જુદા તબક્કામાં કરવામાં આવશે.

જીએમઆર એન્ટરપ્રાઇઝ, આઈએસક્યુ એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ્સ, કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન, એન્કરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ હોલ્ડિંગ્સ અને અદાણી રેલ્વે ટ્રાન્સપોર્ટ દ્વારા પ્રોજેક્ટની યોગ્યતા માટેની વિનંતીઓ જમા કરાવી છે. જે પાંચ કંપનીઓ કે જેમણે આ પ્રોજેક્ટ માટે (RFQ) સબમિટ કર્યા છે તેમાં બ્રુકફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, મોરબીયસ હોલ્ડિંગ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, કીસ્ટોન રીઅલટર્સ અને ઓબેરોય રિયલ્ટી શામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આરએફકયુને આઈઆરએસડીસીમાં નવી દિલ્લી ઓફિસમાં શુક્રવારે ખોલવામાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આઈઆરએસડીસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર એસ કે લોહિયાએ કહ્યું, ‘હવે અમે તમામ દસ બોલીઓની તપાસ કરીશું. જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બોલીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કર્યા પછી, દરખાસ્ત માટેની વિનંતી ચાર મહિનામાં લેવામાં આવશે. લોહિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટ ડિસેમ્બર સુધીમાં ફાળવવામાં આવશે અને વિવિધ તબક્કે ચાર વર્ષમાં પૂર્ણ થશે.

બીજી તરફ રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની નવી ડિઝાઇનની તસવીર શેર કરી ટ્વિટમાં કહ્યું હતું કે, એક જ સ્થળે મુસાફરોને વિવિધ પ્રકારના પરિવહન (રેલ્વે, મેટ્રો, બસ) પ્રદાન કરવાની તેમજ મુસાફરોને તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવાની દ્રષ્ટિએ ભવિષ્યમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન કંઈક આવું દેખાશે. આ યોજના લગભગ 4 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના કાયાકલ્પ માટે આશરે 4,925 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. .ફક્ત સ્ટેશન જ નહીં, આસપાસના સ્થળોને પણ બદલાશે. પ્રોજેક્ટ માટે પૂર્વ-બિડ બેઠક સપ્ટેમ્બર 2020માં યોજાઇ હતી. જેમાં અદાણી, જીએમઆર, જેકેબી ઇન્ફ્રા, અરબી કન્સ્ટ્રક્શન કંપની અને એન્કોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓએ ભાગ લીધો હતો.

Published On - 2:16 pm, Sat, 16 January 21

Next Article