એક ભક્તિ આવી પણ: શિવ સ્વરૂપ ભગવાન કોરગજ્જાનો મુસ્લિમ ભક્ત, બનાવ્યું મંદિર અને કરે છે પૂજા

સાંપ્રદાયિક રીતે અતિ સંવેદનશીલ ગણાતા દક્ષિણ કન્નડમાં એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નડના મુલ્કી નજીકના કવાથારુ ગામમાં મુસ્લિમ વ્યક્તિએ ભગવાન કોરગજ્જાનું મંદિર બનાવ્યું છે અને તેની પૂજા કરે છે.

એક ભક્તિ આવી પણ: શિવ સ્વરૂપ ભગવાન કોરગજ્જાનો મુસ્લિમ ભક્ત, બનાવ્યું મંદિર અને કરે છે પૂજા
મુસ્લિમ વ્યક્તિની આસ્થા
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 9:54 AM

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અહિયાં અલગ અલગ ધર્મના ઘણા એવા ઉદાહરણ મળી આવતા હોય છે કે તે જાણીને આપણને ભારતીય હોવા પર ગર્વ થાય. આવું જ એક ઉદાહરણ દક્ષીણ કન્નડમાં જોવા મળ્યું છે.

સાંપ્રદાયિક રીતે અતિ સંવેદનશીલ ગણાતા દક્ષિણ કન્નડમાં એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નડના મુલ્કી નજીકના કવાથારુ ગામમાં ધાર્મિક આઝાદીનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. કાવાથારુ ગામના 65 વર્ષિય પી કાસિમ લાંબા સમયથી કોરગજ્જા મંદિરમાં પૂજા-અર્ચના કરી રહ્યા છે. આટલું જ નહીં, તેમણે પોતે પણ એક પુજારીની સલાહથી આ મંદિર બનાવ્યું છે. જી હા દક્ષીણ કન્નડના આ ગામનું મંદિર દરેક માટે ચર્ચાનો વિષય બન્યું છે. એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર ધાર્મિક સુવાસની એક મહેક પૂરી પાડે છે.

મૂળ કેરળના પલક્કડ જિલ્લાના ચિટ્ટાલાચેરીમાં રહેતો 65 વર્ષિય પી કાસિમ આશરે 30 વર્ષ પહેલાં મુલ્કી આવ્યા હતા. ઘણા વર્ષો પહેલા, જ્યારે તેમને પોતાની અંગત જિંદગીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે એક પૂજારીએ તેમને મંદિરની સ્થાપના કરવાનું કહ્યું. પુજારીએ પી કાસિમને કહ્યું હતું કે કોરગજ્જા ભગવાન લોકોની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જે પછી પી કાસીમે ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવતા ભગવાન કોરગજ્જાના મંદિરનું નિર્માણ કર્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

65 વર્ષીય પી કાસિમે ન્યૂઝ એજન્સી સંસ્થાને જણાવ્યું છે કે, વિવિધ ધર્મના લોકો પણ આ મંદિરમાં આવે છે. અને અહીં આવીને પૂજા કરે છે. આ સાથે જ પી કાસીમે જણાવ્યું કે મંદિર બનાવ્યા બાદ તેમણે મસ્જિદ જવાનું પણ બંધ કરી દીધું. સાથે સાથે તેઓએ માંસાહારનો પણ ત્યાગ કર્યો. જો કે કાસીમના બાળકો મસ્જિદ જાય છે, અને બાળકોની આસ્થા કોરગજ્જા મંદિરમાં પણ છે. તેઓ મસ્જિદમાં જવાની સાથે સાથે ભગવાન કોરગજ્જામાં પણ વિશ્વાસ રાખે છે.

આ અનીખા મંદિરમાં પી કાસીમ પોતે મંદિરમાં પૂજા કરે છે. તેમજ આ મંદિરમાં દર બીજા વર્ષે કલોત્સવ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ક્લોત્સવ એ દક્ષિણ કર્ણાટક અને નજીકના વિસ્તારોના શિવ મંદિરમાં ઉજવાતો ઉત્સવ છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">