Gujarati NewsNational31 july chellitarikh ena pachhi nahi thai shake tamara khissa sathe jodayela aa 4 kaam
31 જુલાઈ અંતિમ તારીખ, એના પછી નહી થઈ શકે તમારા ખિસ્સા સાથે જોડાયેલા આ 4 કામ
જુલાઈની 31 તારીખ સુધીમાં અગર તમે આ ચાર મહત્વનાં કામ નહી કરી શકો તો પછી ઘણું મોડું થઈ ગયું હોઈ શકે છે. જુલાઈનાં આ મહિનાને પુરો થવામાં હવે માત્ર 10 દિવસ બચ્યા છે. આ મહિનાનાં અંતિમ દિવસ 31મી જુલાઈએ ઘણી વસ્તુઓ એવી છે કે જેની ડેડલાઈન પુરી થવા જઈ રહી છે કે જે તમારા ખિસ્સા […]
જુલાઈની 31 તારીખ સુધીમાં અગર તમે આ ચાર મહત્વનાં કામ નહી કરી શકો તો પછી ઘણું મોડું થઈ ગયું હોઈ શકે છે.
જુલાઈનાં આ મહિનાને પુરો થવામાં હવે માત્ર 10 દિવસ બચ્યા છે. આ મહિનાનાં અંતિમ દિવસ 31મી જુલાઈએ ઘણી વસ્તુઓ એવી છે કે જેની ડેડલાઈન પુરી થવા જઈ રહી છે કે જે તમારા ખિસ્સા સાથે જોડાયેલી છે.
પાછલા દિવસોમાં સરકારે 25 માર્ચ 2020 થી 30 જૂન 2020નાં સમય દરમિયાન જો દિકરી 10 વર્ષની થઈ તો તેને 31 જુલાઈ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં ખાતું ખોલાવાનો સમય આપ્યો હતો. આ છુટનાં કારણે આ દિકરીઓનાં વાલીઓને મદદ મળશે કે જે લોકડાઉનનાં કારણે સુકન્યા યોજનામાં ખાતું નથી ખોલાવી શક્યા.
એજ રીતે સરકારે PPFનાં ખાતા ધારકોને નાંણાકિય વર્ષ 2019-20 માટે પોતાના ખાતામાં 31 જુલાઈ સુધી રકમ જમા કરાવવા માટે મંજુરી આપી છે
અગર તમે અત્યાર સુધી નાંણાકિય વર્ષ 2018-19 માટે આવકવેરાનું રીટર્ન ફાઈલ નથી કર્યું તો તેને જલ્દી ભરી લેવું જોઈએ, કેમ કે નાંણાકિય વર્ષ 2018-19 માટે આવકવેરા રીટર્ન ભરવાની ડેડલાઈન 31 જુલાઈએ પુરી થાય છે.
આ એ ટેક્સપેયર્સ માટે છે કે જેમણે 31 ઓગસ્ટ 2019 સુધી રીટર્ન ફાઈલ નોહતા કર્યા એવા ટેક્સપેયર્સને 10 હજાર રૂપિયા સુધીનો દંડ સાથે 31 માર્ચ 2020 સુધી રીટર્ન ફાઈલ કરવાના હતા.
જોકે સરકારે કોરોના સંકંટને જોતા 31 માર્ચ 2020 સુદીના ડેડલાઈનને વધારીને 30 જૂન 2020 કરી દીધી હતી, હવે ફરી એકવાર તેને 31 જુલાઈ 2020 સુધી વધારી દેવામાં આવી છે.
નાંણાકિય વર્ષ 2019-20 દરમિયાન ટેક્સ પર છુટ મેળવવા માટે વિવિધ યોજનાઓમાં રોકાણ કરવા માટેની ડેડલાઈન પણ 31 જુલાઈ 2020 છે
મતલબ એ છે કે તમે કલમ 80-સી, 80-ડી અને 80-જી મુજબ 31 જુલાઈ 2020 સુધી આમાં ટેક્સ રોકાણ કરીને નાંણાકિય વર્ષ 201-20માં ટેક્સમાં છુટ મેળવી શકો છો.