દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસની અસર ફેલાઈ છે, ત્યારે હવે ભારતમાં પણ તેનો પગપેંસારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસને લીધે સંક્રમિત થયેલી વ્યક્તિનો આંક 13 થયો છે. આગ્રામાં 6 શંકાસ્પદ કેસ, કેરળમાં 3, જયપુર, દિલ્હી અને તેલંગાણામાં 1-1 કેસ સામે આવ્યો છે.
ભારતમાં કોરોના વાઈરસનો એક કેસ જયપુરમાં પ્રકાશમાં આવ્યો છે. આ વ્યક્તિ ઈટાલીનો નાગરિક છે, તેની ઉંમર 69 વર્ષ છે. હોસ્પિટલ દિલ્લી સ્થિત ઈટાલીના દૂતાવાસ સાથે સંપર્કમાં પણ છે. કારણ કે આ વ્યક્તિની સાથે ઈટાલીના 18 લોકો પણ છે. તેલંગાણા અને દિલ્લીમાં સોમવારે એક-એક કેસ પ્રકાશમાં આવ્યા હતા. બંને દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેલંગાણા સરકાર દ્વારા પીડિતોની સાથે જે 25 મુસાફરોએ બસમાં યાત્રા કરી હતી, તેની પણ તપાસ કરાઈ રહી છે. અગાઉ કેરળમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા, જેઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આમ અત્યાર સુધીમાં ભારતમાં 6 કેસ નોંધાઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કોરોના વાઈરસની તપાસથી લઈને ઉપચાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેને લઈને ગભરાવવાની જરૂર નથી. આ અંતર્ગત ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનના નાગરિકોને 3 માર્ચ પહેલા અને પછી ઈસ્યુ કરવામાં આવેલા વિઝા અને ઈ-વિઝાને રદ કરવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજકોટ: દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા, રસ્તા પર દારૂની નદીઓ વહી!