મહારાષ્ટ્રમાં ફરી લાગશે લોકડાઉન? મુખ્યપ્રધાન ઠાકરે આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે

|

Feb 21, 2021 | 4:37 PM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. મુખ્યપ્રધાનના આ સંબોધનને લઈ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં ફરી લાગશે લોકડાઉન? મુખ્યપ્રધાન ઠાકરે આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે
CM Uddhav Thackeray (File Image)

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. મુખ્યપ્રધાનના આ સંબોધનને લઈ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું આ સંબોધન એટલા માટે મહત્વનું છે, કારણ કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવાર પહેલા જ જણાવી ચૂક્યા છે કે નાગપુર, અમરાવતી, યવતમાલ જેવા જિલ્લામાં વધતા કોરોનાના કેસને જોતા રાજ્ય સરકાર આ જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવાનું વિચારી રહ્યા છે. આ સંબંધિત મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાવવાની છે, જેમાં નિર્ણય લેવામાં આવશે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. જેનાથી ઘણા લોકોનું માનવું છે કે ઘણી જગ્યાઓ પર લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે. મુંબઈ, ઠાણે, અમરાવતી, પૂણ, નાગપુર વગેરે વિસ્તારોમાં હાલના દિવસોમાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

આ પણ વાંચો: USA : આકાશમાં જ સળગી ઉઠ્યું બોઇંગ 777-200નું એન્જિન, 200 યાત્રીઓનો આબાદ બચાવ, જુઓ વિડીયો

Next Article