AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને વળતર આપવાના મુદ્દે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના વકિલને કહ્યુ, અમને એફિડેવિટ ના બતાવો, ખીસ્સામાં રાખો

કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મદદ કરવાના સંબંધમાં મહારાષ્ટ્ર સરકારની સતત ઢીલ પર સુપ્રીમ કોર્ટની નારાજગી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સરકારના વલણ પર પણ નારાજગી વ્યક્ત કરી છે.

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને વળતર આપવાના મુદ્દે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના વકિલને કહ્યુ, અમને એફિડેવિટ ના બતાવો, ખીસ્સામાં રાખો
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 4:57 PM
Share

સુપ્રિમ કોર્ટે (Supreme Court)  મહારાષ્ટ્ર સરકારને (Maharashtra government) કોરોના અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવામાં તેની ઢીલ બદલ ઠપકો આપ્યો છે. ન્યાયાધીશે મહારાષ્ટ્ર સરકારના વકીલને કહ્યું કે અમને એફિડેવિટ ન બતાવો, તમારા ખિસ્સામાં રાખો, જાઓ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આપો. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર દ્વારા કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને મદદ કરવામાં સતત વિલંબને લઈને સુપ્રીમ કોર્ટની નારાજગી સામે આવી છે. મહારાષ્ટ્ર ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ આ મામલે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે.

કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર એક પણ વ્યક્તિના પરિવાર સુધી મદદ પહોંચી નથી

કોવિડ સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ આ મદદ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. આને લગતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ એ વાતથી નારાજ થઈ હતી કે મહારાષ્ટ્ર સરકારે હજુ સુધી એક પણ પરિવારને મદદની રકમ આપી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર તરફથી આવી શિથિલતા કેવી રીતે હોઈ શકે? મદદની જરૂર હોય તેવા લોકો સુધી મદદ પહોંચવી જોઈએ. નહિંતર અમારે કંઈક કરવું પડશે. જસ્ટિસ એમ.આર.શાહે ઠપકો આપતા આ વાત કહી.

રાજ્ય સરકાર વતી એડવોકેટ સચિન પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોર્ટના આદેશ મુજબ ટૂંક સમયમાં એફિડેવિટ રજૂ કરશે. આ અંગે ન્યાયધીશ એમ.આર.શાહે કહ્યું, ‘તમારું એફિડેવિટ તમારા ખિસ્સામાં રાખો. જાઓ અને મુખ્યમંત્રીને આપો. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 1 લાખ 40 હજાર લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર 37 હજાર અરજીઓ જ મદદ માટે આવી છે. આમ છતાં હજુ સુધી એક પણ પરિવારને કોરોના વળતર આપવામાં આવ્યું નથી. આ બહુ ગંભીર બાબત છે.

રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની સરકારને પણ ઠપકો આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની સાથે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની સરકારોને પણ ફટકાર લગાવી છે. રાજસ્થાનમાં કોરોનાને કારણે 9 હજાર લોકોના મોત થયા છે. વળતર માટે માત્ર 595 અરજીઓ મળી હતી. આમાંથી કોઈ પણ પરિવાર સુધી મદદ પહોંચી શકી નથી. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાને કારણે 19 હજાર લોકોના મોત થયા છે. તેમાંથી માત્ર 467 પરિવારોએ વળતર માટે અરજી કરી છે. તેમાંથી માત્ર 110 લોકોને જ મદદ મળી છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાને કારણે 22 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 16 હજાર 518 પરિવારોએ મદદ માટે અરજી કરી હતી. તેમાં અત્યાર સુધીમાં 9 હજાર 372 લોકોને મદદ આપવામાં આવી છે.

આ પણ વાંચો :  PM Narendra Modi in Gorakhpur: સપા પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું- ‘લાલ ટોપી વાળાઓને લાલ બત્તીથી મતલબ, આ લોકો યુપી માટે રેડ એલર્ટ છે’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">