Maharashtra : ભ્રષ્ટાચાર કેસમાં ફસાયેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઝટકો, સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ માંગતી અરજી ફગાવી

|

Nov 18, 2021 | 3:12 PM

સીબીઆઈએ 21 એપ્રિલે NCP નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપમાં FIR નોંધ્યા બાદ EDએ દેશમુખ અને તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

Maharashtra : ભ્રષ્ટાચાર કેસમાં ફસાયેલા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ઝટકો, સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટ માંગતી અરજી ફગાવી
Anil Deshmukh Case

Follow us on

Maharashtra : મનિ લોન્ડરિંગ કેસમાં ફસાયેલા અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને તેમની સામેની CBI તપાસનો પ્રાથમિક અહેવાલ આપવા માટેની માગ કરતી અરજીને ફગાવી છે. સાથે જ કોર્ટે અનિલ દેશમુખના (Anil Deshmukh) વકીલ કપિલ સિબ્બલને બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) જવાની મંજૂરી આપી છે.

દેશમુખના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું હતુ કે, તપાસ એજન્સીને પ્રાથમિક તપાસ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટને તેનું કામ કરવા દો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, દેશમુખની ED દ્વારા 1 નવેમ્બરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.  આ કેસમાં 2 નવેમ્બરના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેને 6 નવેમ્બર સુધી ED રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે EDએ કસ્ટડી વધારવાની વિનંતી કરી, પરંતુ કોર્ટે તેને નકારી કાઢી અને હાલ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી ધઈએ કે, ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપમાં 21 એપ્રિલના રોજ NCP નેતા વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલી FIR બાદ EDએ દેશમુખ અને તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. EDએ અગાઉ દેશમુખના અંગત સચિવ તરીકે કામ કરતા એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારી સંજીવ પલાંડે અને દેશમુખના અંગત સહાયક કુંદન શિંદેની પણ ધરપકડ કરી હતી.

100 કરોડથી વધુની ખંડણીનો આરોપ

મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવ્યા બાદ, પરમબીર સિંહે (Parambir Singh) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આરોપ મૂક્યો હતો કે દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજેની મદદથી શહેરના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

 

આ પણ વાંચો: સમીર વાનખેડેની વધી મુશ્કેલી ! NCP નેતા નવાબ મલિકે, વાનખેડે વિરુદ્ધ બોમ્બે HCમાં રજુ કર્યા પૂરાવા

આ પણ વાંચો: Maharashtra : “ભાજપે દરેક હિસાબની કિંમત ચૂકવવી પડશે” , અનિલ દેશમુખની ધરપકડને લઈને પવારે ભાજપને આડે હાથ લીધી

Next Article