Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેએ બીજી વખત મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરદ પવારે રોક્યા – સૂત્રો

|

Jun 28, 2022 | 12:03 AM

સૂત્રોએ જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ એક નહીં પરંતુ બે વખત રાજીનામું આપવાની ઓફર કરી હતી, પરંતુ બંને વખત શરદ પવારે તેમને મનાવી લીધા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું સત્તારૂઢ મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) ગઠબંધન રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે.

Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેએ બીજી વખત મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરદ પવારે રોક્યા - સૂત્રો
CM Uddhav Thackeray (File Image)

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra Live) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે એટલે કે 27 જૂને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માંગતા હતા. ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયા દ્વારા પણ આ માટે જાહેરાત કરવા માંગતા હતા, પરંતુ NCP ચીફ શરદ પવારે (Sharad Pawar) તેમને આમ કરતા રોક્યા. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ એક નહીં પરંતુ બે વખત રાજીનામું આપવાની ઓફર કરી હતી, પરંતુ બંને વખત શરદ પવારે તેમને મનાવી લીધા હતા. મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોરોનું જૂથ હાલમાં આસામમાં છે.

એકનાથ શિંદે અને શિવસેનાના બાકીના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 22 જૂને કહ્યું હતું કે, “હું મારું પદ છોડવા તૈયાર છું અને પાર્ટીના પ્રમુખ તરીકેનું પદ પણ છોડીશ. પરંતુ શર્ત એક જ છે કે મારા શિવસૈનિકો મારી સાથે રૂબરૂ વાત કરે.”

વર્તમાન પરિસ્થિતિ પર ખેદ વ્યક્ત કરતા ઠાકરેએ કહ્યું, “જો મારા પોતાના લોકો મને સીએમ તરીકે જોવા ન માંગતા હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું, પરંતુ આ વાત કહેવા માટે તેમને સુરત અથવા અન્ય કોઈ જગ્યાએ શા માટે જવું જોઈએ. શિંદે અહીં આવીને મને કહી શક્યા હોત કે તેઓ શું ઈચ્છે છે, તો હું તરત જ પદ છોડી દેત.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પિતાએ 20 મેના રોજ શિંદેને સીએમ બનવાની ઓફર કરી હતી – આદિત્ય

જણાવી દઈએ કે બે દિવસ પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો કે પિતા ઉદ્ધવ ઠાકરેએ 20 મેના રોજ બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે તેમણે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. મેં સાંભળ્યું હતું કે કંઈક થઈ રહ્યું છે અને બરાબર એક મહિના પછી, 20 જૂને શિંદે અને તેમના જૂથે બળવો શરૂ કર્યો. તેમણે કહ્યું કે તે સારી વાત છે કે શિવસેનાને આ ગંદકીથી આપમેળે જ છુટકારો મળી ગયો છે.

MVA બળવાખોર મંત્રીઓને બરતરફ કરવાની તૈયારી કરી રહી છે: પવાર

દરમિયાન, શરદ પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારે ગુવાહાટીમાં બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેની છાવણીમાં જોડાનારા મંત્રીઓને બરતરફ કરવાની તૈયારી કરી છે. પવારે જણાવ્યું હતું કે MVA સાથીઓએ ઠાકરેને બળવાખોરો સામે પગલાં લેવાની સત્તા આપી છે અને એક-બે દિવસમાં પગલાં લેવામાં આવશે. બળવાખોર નેતા શિંદે સાથે જોડાયેલા રાજ્ય સરકારના મંત્રીઓને બરતરફ કરવાના પ્રશ્ન પર, પવારે કહ્યું, તે મુખ્ય પ્રધાનના કાર્યક્ષેત્રમાં આવે છે. તેઓ એક-બે દિવસમાં કાર્યવાહી કરશે.

કોંગ્રેસ-એનસીપીના નેતાઓની ઠાકરે સાથે મુલાકાત

નોંધપાત્ર રીતે, રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે, કોંગ્રેસ અને એનસીપીના ઘણા નેતાઓ આજે સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ ઠાકરે સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, અમે ગઠબંધનના ભાગીદાર છીએ. અમે સાથે બેસીને વસ્તુઓ પર ચર્ચા કરીશું. કોંગ્રેસના મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, એનસીપીના નેતાઓ દિલીપ વાલસે પાટીલ અને જયંત પાટીલ પણ ઠાકરેને મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું સત્તારૂઢ મહા વિકાસ અઘાડી ગઠબંધન રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. ગયા અઠવાડિયે શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ગુજરાતના સુરત અને ત્યાંથી શિવસેનાના કેટલાક ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટી ગયા પછી આ સંકટ સામે આવ્યું છે. ગુજરાત અને આસામ બંનેમાં ભાજપનું શાસન છે.

Published On - 11:55 pm, Mon, 27 June 22

Next Article