AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવાવાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા’, સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું

સંજય રાઉત ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાટીલે દાવો કર્યો હતો કે રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને સંત-મહંતોએ 'હિન્દુ વોટ બેંક' વિકસાવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ટોચ પર લઈ ગયા.

'આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવાવાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા', સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું
Shiv Sena MP Sanjay Raut
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:40 PM
Share

મહારાષ્ટ્રની (Maharashtra) ગઠબંધન સરકારમાં સહયોગી શિવસેનાએ બુધવારે હિંદુત્વના મુદ્દે દાવો રજૂ કરતાં કહ્યું કે તેના સ્થાપક બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray)એ સુનિશ્ચિત કર્યું કે “હિંદુઓ ધર્મના નામે તેમના મત આપે”. શિવસેનાના સાંસદ સંજય રાઉતે તેમના ભૂતપૂર્વ સાથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કર્યા અને કહ્યું કે તેમની પાર્ટીની હિંદુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા માત્ર રાજકારણ અને ચૂંટણીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ લોકોને રોટી, કપડા અને મકાન મળે તે સુનિશ્ચિત કરવા માટે છે.

મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું “આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવા વાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા. તે શિવસૈનિક અને બાળાસાહેબ ઠાકરે હતા જેઓ હિંદુઓના પક્ષમાં દ્રઢતાથી ઉભા રહ્યા હતા.” સંજય રાઉત ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાટીલે દાવો કર્યો હતો કે રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને સંત-મહંતોએ ‘હિન્દુ વોટ બેંક’ વિકસાવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ટોચ પર લઈ ગયા.

તેથી જ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ કહેવામાં આવે છે

સંજય રાઉતે કહ્યું, “મને પોતે જ એ વાતનો અંદાજો નથી કે છત્રપતિ શિવાજી મહારાજે હિંદુ વોટ બેંક વિકસાવી કે નહીં? જોકે, એ હકીકત છે કે શિવાજીએ દેશમાં ‘હિન્દી સ્વરાજ્ય’ સ્થાપ્યું હતું.” શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, “બાળાસાહેબ ઠાકરે અને તેમના પહેલા વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર) હતા, જેઓ છત્રપતિ શિવાજી મહારાજની વિચારધારાને અનુસરતા હતા, તેથી જ દેશના લોકો ઠાકરેને ‘હિંદુ હૃદય સમ્રાટ’ કહે છે.”

રાહુલ ગાંધીએ હિન્દુત્વની રાજનીતિની નિંદા કરી હતી

તેમણે વધુમાં કહ્યું “અમારું હિન્દુત્વ માત્ર રાજકારણ અને ચૂંટણીઓ માટે નથી. તે માત્ર મંદિરો પૂરતું મર્યાદિત નથી. અમારું હિન્દુત્વ લોકોને રોટી, કપડા અને મકાન સુનિશ્ચિત કરવાનું છે.” શિવસેનાના નેતાની ટિપ્પણી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિન્દુત્વની રાજનીતિની નિંદા કર્યાના દિવસો પછી આવી છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે “હિંદુત્વવાદીઓ”ને સત્તાની લાલચ છે અને તેઓ કોઈપણ કિંમતે સત્તા મેળવવા માંગે છે. જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી અને શિવસેના મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં ગઠબંધનમાં છે.

આ પણ વાંચો :  Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ

Follow Us
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">