‘આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવાવાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા’, સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું

સંજય રાઉત ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાટીલે દાવો કર્યો હતો કે રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને સંત-મહંતોએ 'હિન્દુ વોટ બેંક' વિકસાવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ટોચ પર લઈ ગયા.

'આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવાવાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા', સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું
Shiv Sena MP Sanjay Raut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:40 PM

મહારાષ્ટ્રની (Maharashtra) ગઠબંધન સરકારમાં સહયોગી શિવસેનાએ બુધવારે હિંદુત્વના મુદ્દે દાવો રજૂ કરતાં કહ્યું કે તેના સ્થાપક બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray)એ સુનિશ્ચિત કર્યું કે “હિંદુઓ ધર્મના નામે તેમના મત આપે”. શિવસેનાના સાંસદ સંજય રાઉતે તેમના ભૂતપૂર્વ સાથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કર્યા અને કહ્યું કે તેમની પાર્ટીની હિંદુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા માત્ર રાજકારણ અને ચૂંટણીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ લોકોને રોટી, કપડા અને મકાન મળે તે સુનિશ્ચિત કરવા માટે છે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું “આજે હિન્દુત્વ વોટ બેંકની હિમાયત કરવા વાળા બાબરી ધ્વંસ સમયે ભાગી ગયા હતા. તે શિવસૈનિક અને બાળાસાહેબ ઠાકરે હતા જેઓ હિંદુઓના પક્ષમાં દ્રઢતાથી ઉભા રહ્યા હતા.” સંજય રાઉત ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાટીલે દાવો કર્યો હતો કે રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને સંત-મહંતોએ ‘હિન્દુ વોટ બેંક’ વિકસાવી હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ટોચ પર લઈ ગયા.

તેથી જ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ કહેવામાં આવે છે

સંજય રાઉતે કહ્યું, “મને પોતે જ એ વાતનો અંદાજો નથી કે છત્રપતિ શિવાજી મહારાજે હિંદુ વોટ બેંક વિકસાવી કે નહીં? જોકે, એ હકીકત છે કે શિવાજીએ દેશમાં ‘હિન્દી સ્વરાજ્ય’ સ્થાપ્યું હતું.” શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, “બાળાસાહેબ ઠાકરે અને તેમના પહેલા વીર સાવરકર (વિનાયક દામોદર સાવરકર) હતા, જેઓ છત્રપતિ શિવાજી મહારાજની વિચારધારાને અનુસરતા હતા, તેથી જ દેશના લોકો ઠાકરેને ‘હિંદુ હૃદય સમ્રાટ’ કહે છે.”

રાહુલ ગાંધીએ હિન્દુત્વની રાજનીતિની નિંદા કરી હતી

તેમણે વધુમાં કહ્યું “અમારું હિન્દુત્વ માત્ર રાજકારણ અને ચૂંટણીઓ માટે નથી. તે માત્ર મંદિરો પૂરતું મર્યાદિત નથી. અમારું હિન્દુત્વ લોકોને રોટી, કપડા અને મકાન સુનિશ્ચિત કરવાનું છે.” શિવસેનાના નેતાની ટિપ્પણી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હિન્દુત્વની રાજનીતિની નિંદા કર્યાના દિવસો પછી આવી છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે “હિંદુત્વવાદીઓ”ને સત્તાની લાલચ છે અને તેઓ કોઈપણ કિંમતે સત્તા મેળવવા માંગે છે. જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી અને શિવસેના મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં ગઠબંધનમાં છે.

આ પણ વાંચો :  Jammu Kashmir: આતંકવાદને ખતમ કરવામાં સુરક્ષા દળો માટે સોશિયલ મીડિયા બની રહ્યું છે પડકાર, હવે આ અભિયાન થકી લગાવવામાં આવી રહી છે લગામ

Latest News Updates

ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણીની આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
g clip-path="url(#clip0_868_265)">