એકનાથ શિંદે (CM Eknath Shinde) જૂથે શિવસેનાના 14 ધારાસભ્યોને વિધાનસભામાં બહુમત પરીક્ષણ (Maharashtra Assembly Floor Test) દરમિયાન પાર્ટી લાઈન વિરુદ્ધ મતદાન કરવા બદલ નોટિસ પાઠવી છે. શિવસેનાના 15 ધારાસભ્યોએ વિશ્વાસ મતના વિરોધમાં મતદાન કર્યું છે. પરંતુ શિંદે જૂથ વતી ચીફ વ્હીપ ભરત ગોગાવલેએ માત્ર 14 લોકોને નોટિસ મોકલી છે. આદિત્ય ઠાકરેને (Aaditya Thackeray) નોટિસ મોકલવામાં આવી નથી. તેનું કારણ પણ શિંદે જૂથ દ્વારા આપવામાં આવ્યું છે.
આજે શિંદે જૂથ અને ભાજપને મળીને વિધાનસભામાં બહુમતી મળી છે. ભાજપ-શિંદે જૂથની તરફેણમાં 164 મત પડ્યા હતા, જ્યારે વિશ્વાસ મતની દરખાસ્તની વિરુદ્ધમાં મહા વિકાસ અઘાડીની તરફેણમાં 99 મત પડ્યા હતા. આદિત્ય ઠાકરે સહિત 15 ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ કારણોસર 14 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે.
પાર્ટી વ્હીપ ભરત ગોગાવાલેનું પાલન ન કરવાને કારણે 14 ધારાસભ્યોને નોટિસ આપવાની માહિતી આપતાં શિંદે જૂથના મુખ્ય દંડકએ કહ્યું કે, ‘અમે આદિત્ય ઠાકરેને નોટિસ આપી નથી. અમે બાળાસાહેબ ઠાકરેનું સન્માન કરીએ છીએ. આ જ કારણ છે કે અમે આદિત્ય ઠાકરેને નોટિસ મોકલી નથી. બાકીના ધારાસભ્યો પર વિધાનસભા સસ્પેન્શન કે રદ થવાનો ખતરો વધી ગયો છે.
We have given notices to disqualify all the MLAs who defied our whip; have not given his (Aaditya Thackeray’s) name due to our respect for Balasaheb Thackeray: Shiv Sena chief whip Bharat Gogawale pic.twitter.com/hRQZsqZ7Lj
— ANI (@ANI) July 4, 2022
ભરત ગોગાવાલેએ શિવસેનાના તમામ 55 ધારાસભ્યોને વ્હિપ જાહેર કરીને વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મત આપવા સૂચના આપી હતી. શિંદે જૂથના 40 ધારાસભ્યોએ વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. પરંતુ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના 15 ધારાસભ્યોએ વિશ્વાસ મત પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. હવે શિંદે જૂથે તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. તે મુજબ તેમને નોટિસ મોકલવામાં આવી છે. હવે જોવાનું એ છે કે ઉદ્ધવ ઠાકરે કેમ્પ તરફથી આ કાર્યવાહીનો શું પ્રતિસાદ મળે છે.