Sheena Bora Murder Case: બોમ્બે હાઈકોર્ટે ઈન્દ્રાણી મુખર્જીના જામીન ફગાવ્યા, કહ્યુ – મહામારીના કારણે થયો વિલંબ

|

Jan 23, 2022 | 6:05 PM

તબીબી આધારો ઉપરાંત, મુખર્જીના વકીલ સના રઈસ ખાને પણ કેસની સુનાવણીમાં વિલંબ માટે જામીનની માંગ કરી હતી. વર્ષ 2020માં માત્ર 67 સાક્ષીઓને કોર્ટમાં જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. ખાને દલીલ કરી હતી કે આ કેસમાં હજુ 195 સાક્ષીઓની તપાસ થવાની બાકી છે.

Sheena Bora Murder Case: બોમ્બે હાઈકોર્ટે ઈન્દ્રાણી મુખર્જીના જામીન ફગાવ્યા, કહ્યુ - મહામારીના કારણે થયો વિલંબ
Indrani Mukerjea (file photo)

Follow us on

બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court ) શીના બોરા હત્યા કેસમાં (Sheena Bora Murder Case)  મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીની જામીન અરજી (Bail Plea) ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે એવું લાગે છે કે ફરિયાદ પક્ષે પૂરતી સાવચેતી રાખી છે અને મુખરજીને ઉત્તમ તબીબી સુવિધાઓ પૂરી પાડી છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કોઈ મજબૂત કારણ નથી, જેના કારણે તબીબી આધાર પર જામીન આપવામાં આવે. ઈન્દ્રાણી મુખર્જીએ ભૂતપૂર્વ ટેલિવિઝન ચીફ પીટર મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. 5 ઓગસ્ટ, 2020 ના રોજ સીબીઆઈ કોર્ટે દ્વારા અરજી ફગાવી દેવામાં આવતા તેમણે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. નવેમ્બર 2021માં તેમની જામીન અરજી પર સુનાવણી થઈ અને જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેએ તેને ફગાવી દીધી. જો કે, આદેશના કારણો હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

સુનાવણીમાં વિલંબને લઈને પણ કરાઈ દલીલો

તબીબી આધારો ઉપરાંત, મુખર્જીના વકીલ સના રઈસ ખાને પણ કેસની સુનાવણીમાં વિલંબ માટે જામીનની માંગ કરી હતી. વર્ષ 2020માં માત્ર 67 સાક્ષીઓને કોર્ટમાં જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. ખાને દલીલ કરી હતી કે આ કેસમાં હજુ 195 સાક્ષીઓની તપાસ થવાની બાકી છે. જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે જો ટ્રાયલ શરૂ થઈ ગઈ હોય તો પણ તેમાં થોડો સમય લાગવાની શક્યતા છે અને તે હાલના કેસમાં મુક્ત થવાનું કારણ બની શકે નહીં. ખાસ કરીને, મુખર્જી દ્વારા કથિત ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, આરોપીએ ગુનો સાબિત કરવા માટે મોટી સંખ્યામાં સાક્ષીઓની તપાસ કરવી પડશે. છતાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી મહામારીને કારણે કેસમાં વિલંબ થયો છે. આ માટે પ્રોસિક્યુશનને દોષી ઠેરવી શકાય નહીં.

નીચલી અદાલત સાથે સંમત

જસ્ટિસ સાંબ્રેએ જણાવ્યું હતું કે આ ગુનામાં મુખર્જીની સંડોવણીનું પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન લગાવવા માટે રેકોર્ડ પર પૂરતી સામગ્રી છે. મને જાણ કરવામાં આવી છે કે કેસ રોજેરોજ ચાલી રહ્યો છે. અપરાધના આધારે જામીન ફગાવી દેતા જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે આ કોર્ટ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા કારણો સાથે સંપૂર્ણ રીતે સંમત છે. સંજોગોવશાત પુરાવા મુખર્જીની ગુનામાં સંડોવણીને સમર્થન આપે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખાને સરકારી સાક્ષી મુખર્જીના ડ્રાઇવરની જુબાની પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પરંતુ જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે જ્યા સુધી રાયની જુબાની અને સીડીઆર રેકોર્ડ જેવા અન્ય પુરાવાઓનો સંબંધ છે. આ તબક્કે આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર નથી. ખાસ કરીને જ્યારે ટ્રાયલ નિર્ણાયક તબક્કામાં હોય. મહત્વના સાક્ષીઓની તપાસ કરવાની બાકી છે અને અરજદારને છોડવાથી કેસમાં આગળની કાર્યવાહીમાં અવરોધ આવવાની શક્યતા છે.

આ પણ વાંચો :  બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર આજે સીએમ ઉદ્ધવ ઠાકરે શિવસૈનિકો સાથે સાધશે સંવાદ, પૌત્ર આદિત્ય ઠાકરેએ બાળપણનો ફોટો શેર કરીને કર્યા યાદ

Next Article