Breaking News : શરદ પવારની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ, પુણેની હોસ્પિટલમાં દાખલ

NCP પ્રમુખ શરદ પવારની તબિયત અચાનક બગડતા તેમને પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરાયા છે. તેમને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. આ કારણે તેઓ બારામતીના કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા.

Breaking News : શરદ પવારની તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ, પુણેની હોસ્પિટલમાં દાખલ
| Updated on: Feb 09, 2026 | 5:37 PM

NCP (SP) પ્રમુખ Sharad Pawar ની તબિયત અચાનક બગડતા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેના પગલે પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તાવ અને ઉધરસની ફરિયાદ છે. ખરાબ તબિયતને કારણે તેઓ બારામતીમાં યોજાનારા એક કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા અને કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો.

ઉધરસને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ

સોમવારે શરદ પવારની તબિયત અચાનક લથડી હતી. બારામતીમાંથી તેમને તાત્કાલિક પુણે લઈ જવામાં આવ્યા અને રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા. તેમના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે તાવ અને ઉધરસને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ રહી છે, જેના કારણે ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.

સ્વર્ગસ્થ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની 13મી પુણ્યતિથિ સોમવારે બારામતી તાલુકાના કાઠેવાડીમાં યોજાઈ રહી હતી. આ સમારોહમાં શરદ પવાર અને તેમના પરિવારના અન્ય સભ્યો હાજર રહેવાના હતા, પરંતુ સવારે તેમની તબિયત બગડતા તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા.

વધુ સારવાર માટે પુણે લઈ જવાનો નિર્ણય

અહેવાલો મુજબ, શરદ પવારને સવારથી જ ખાંસી, તાવ અને શરદીની તકલીફ હતી. આ કારણે વહેલી સવારે ડોક્ટરોની એક ટીમ બારામતીના ગોવિંદબાગ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરી હતી. ત્યારબાદ બપોરે ડોક્ટરોની ટીમે ફરીથી તેમની તપાસ કરી અને વધુ સારવાર માટે પુણે લઈ જવાનો નિર્ણય લેવાયો હતો.

શરદ પવારને પુણેની રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથે તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે પણ હાજર છે. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, સતત ઉધરસ અને કફને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સાવચેતી રૂપે તેમણે માસ્ક પહેર્યો હતો અને તબીબી ટીમ સંપૂર્ણ રીતે સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી.

છેલ્લા બે થી ત્રણ મહિનાથી તેઓ સ્વાસ્થ્ય કારણોસર જાહેર

ઉલ્લેખનીય છે કે શરદ પવાર છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા. છેલ્લા બે થી ત્રણ મહિનાથી તેઓ સ્વાસ્થ્ય કારણોસર જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું ટાળતા હતા, પરંતુ તાજેતરમાં પરિવાર અને પાર્ટી સાથે સંબંધિત કાર્યક્રમોમાં ફરી હાજરી આપવા લાગ્યા હતા. સતત મુલાકાતીઓ અને વ્યસ્ત કાર્યક્રમો કારણે તેઓ થાક અનુભવી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ ઘટના રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે તેવા સમયે સામે આવી છે.

બાળકોના હાથમાં તલવાર અને પાકિસ્તાની દેશભક્તિ ગીત, જુઓ Video

Published On - 5:07 pm, Mon, 9 February 26