મહારાષ્ટ્રમાં (Maharashtra ) ભાજપ અને એનસીપી (NCP) વચ્ચે ફરી એક વખત નિકટતા જોવા મળી રહી છે. NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા છે. આ મીટિંગ રાત્રે ડિનર પર થઈ શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બેઠક રાજકીય છે કે બીજું કંઈક. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને ત્રણેય નેતાઓ વચ્ચે ચર્ચા થશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે એનસીપી અને બીજેપી નજીક જોવા મળી હોય. આ પહેલા પણ બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઘણી વખત મુલાકાત કરી ચુક્યા છે. પીએમ મોદી અને એનસીપી પ્રમુખ શરદ પવારની નિકટતા જાણીતી છે. તે જ સમયે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, જ્યારે શિવસેનાએ સીએમના નામ પર ભાજપને આંચકો આપ્યો, ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ઉતાવળમાં અજિત પવાર સાથે સરકાર બનાવી. જોકે, આ સરકાર એક-બે દિવસમાં પડી ગઈ.
ભાજપના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી પ્રમુખ શરદ પવાર અને અન્ય લોકો બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગરવારે ક્લબમાં રાત્રિભોજન કરશે.” બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસના નજીકના સહયોગીએ જણાવ્યું કે, MCA એક ખૂબ જ પ્રતિષ્ઠિત સંગઠન છે. એમસીએની ચૂંટણીને લઈને દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પાવર વચ્ચે વાતચીત થશે. આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થશે નહીં.
તમને જણાવી દઈએ કે, આ વખતે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આ ચૂંટણી માટે એનસીપી પ્રમુખ શરદ પવાર અને બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર એકસાથે જોડાયા છે. તેઓ એકબીજા સાથે જોડાઈ ગયા છે. તેમના જોડાણ પહેલા, ભૂતપૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલને આંચકો લાગ્યો છે કારણ કે સંદીપ પાટીલે 8 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવી હતી. શરદ પવાર જૂથ પણ તેમને સમર્થન આપી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ શરદ પવારે સંદીપ પાટીલને ઝાટકો આપી આશિષ શેલાર સાથે હાથ મિલાવ્યા હતા. બીજી તરફ એનસીપીના સાથી પક્ષો રાજકીય ક્ષેત્રે અને ક્રિકેટના મેદાનમાં અલગ-અલગ આવતા ભાજપ-એનસીપી પર નિશાન સાધી રહ્યા છે.