Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન

|

Jan 29, 2022 | 4:26 PM

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યુ કે, ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ જ રહેશે. જ્યારે નવમા ધોરણથી લઈને આગળના વર્ગો પૂર્ણ સમય ચાલશે.

Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન
School Reopening (File Photo)

Follow us on

Pune School Reopening: પુણેમાં 1 ફેબ્રુઆરીથી શાળા અને કોલેજો ખુલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે (DY CM Ajit Pawar)  જણાવ્યુ કે, શાળા-કોલેજોમાં જ 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અજિત પવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ અંગે માહિતી આપી હતી. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીને શાળા કે કોલેજમાં (School Reopening) મોકલવા કે નહીં તે વાલીઓએ નક્કી કરવાનુ રહેશે એટલે કે વાલીઓની સંમતિ વિના બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

શાળા-કોલેજમાં જ કિશોરોનુ વેક્સિનેશન થશે

અજિત પવારે 15 થી 18 વર્ષના કિશોરોના રસીકરણ પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યુ કે શાળાઓમાં જ 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોબાઈલ વાન દ્વારા પણ આ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે.

રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી હતી. જો કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને તેમના જિલ્લા સંબંધિત મામલામાં ત્યાં શાળાઓ ખોલવી કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે. આ રીતે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પરંતુ કોરોના સંક્રમણને કારણે પુણેમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં31 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરતા અજિત પવારે કહ્યુ હતુ કે તેઓ કોરોનાની સ્થિતિને(Corona Condition)  ધ્યાનમાં રાખીને આગામી સમયમાં શાળા-કોલેજ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હાલ સંક્રમણ ઘટતા શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે.

આ વર્ગોના બાળકો માટે અડધો દિવસ શાળાઓ ચાલુ રહેશે

આ અંગે અજિત પવારે જણાવ્યુ હતુ કે, ‘શાળા શરૂ થાય ત્યારે પણ વિદ્યાર્થીઓને શાળાએ આવવુ ફરજિયાત નથી. આ બાબતે માતાપિતાએ જાતે નિર્ણય લેવાનો રહેશે. ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ શરૂ રહેશે. જ્યારે નવમા ધોરણથી આગળના વર્ગો માટે પૂર્ણ સમય શાળાઓ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા

Next Article