મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે – “અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે”

|

Apr 08, 2021 | 10:06 AM

રાજ ઠાકરેએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે “મુંબઇમાં કોરોનો વાયરસના ઝડપથી ફેલાવા માટે પરપ્રાંતીય પ્રવાસી મજૂરો જવાબદાર છે.”

મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે - અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મંગળવારે ફરી એક વાર વિવાદિત બયાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે “મુંબઇમાં કોરોનો વાયરસના ઝડપથી ફેલાવા માટે પરપ્રાંતીય પ્રવાસી મજૂરો જવાબદાર છે.” તે જાણીતું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજ ઠાકરેએ કહ્યું કે અન્ય રાજ્યમાં પ્રવાસી મજૂરોના કોરોનાના ટેસ્ટ માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે.

રાજ ઠાકરેએ કહ્યું, “દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉદ્યોગો છે. અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો અહીં આવે છે. જ્યાંથી આ પરપ્રાંતિય મજૂરો આવે છે ત્યાં કોરોના પરીક્ષણ માટેની સુવિધાઓનો અભાવ છે.” રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની વાતચીત પછી કહ્યું, “ગયા વર્ષે લોકડાઉન દરમિયાન મેં સૂચન કર્યું હતું કે પરત ફરતા પરપ્રાંતિય મજૂરોનો ટેસ્ટ કરવામાં આવે, પરંતુ આવું કરવામાં આવ્યું નહોતું.” રાજ ઠાકરેએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે તેઓ ખેલાડીઓને પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાની મંજૂરી આપી શકે છે અને સામાજિક અંતરથી જિમ ખોલવાની મંજૂરી આપી શકે છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષે સોમવારની રાતથી મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલી પ્રતિબંધો વિશે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન બધી દુકાન ઓછામાં ઓછી બે કે ત્રણ દિવસ ખુલ્લી રાખવી જોઈએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રવિવારે રાજ્ય સરકારે જાહેર કરેલા પ્રતિબંધો મુજબ, આવશ્યક સેવાઓની દુકાનો, મેડીકલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનને બાકાત રાખીને, અન્ય તમામ દુકાનો, બજારો અને શોપિંગ મોલ્સ 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં બંધ રહેશે.

સરકારનું કહેવું છે કે આ દરમિયાન મેન્યુફેક્ચરિંગને મંજૂરી આપવામાં આવશે. રાજ ઠાકરેએ કહ્યું કે જો દુકાનો ખુલી ન હોય તો મેન્યુફેક્ચરિંગને મંજૂરી આપવા પાછળ શું તર્ક છે?

લોકડાઉન સમયગાળા દરમિયાન લોકોના વીજળીના બિલ માફ કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી. ઠાકરેએ કહ્યું, “ઔદ્યોગિક ઉત્પાદન બંધ છે; કચેરીઓ બંધ થઈ રહી છે અને ઘણા લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે… લોકોએ વીજળીનાં બિલ કેવી રીતે ભરાશે?”

રાજ ઠાકરેએ રાજ્ય સરકારને અપીલ કરી હતી કે ઓફલાઈન પરીક્ષામાં ભાગ લેવા જતા 10 અને 12 ના વર્ગના તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે.

 

આ પણ વાંચો: મુસ્લિમ મતદારોને અપીલ કરવા બદલ ચૂંટણી પંચે મમતા બેનર્જીને મોકલી નોટિસ, 48 કલાકમાં જવાબ આપવા કહ્યું

આ પણ વાંચો: મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ, ભારતમાં બીજા નંબરે અદાણી, જાણો તેમની સંપતી વિશે

Next Article