મુંબઈમાં વીજપુરવઠો ખોરવાતા માયાનગરીની રફતાર થંભી ગઈ છે. ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ છે. મહત્વનું છે કે ટાટાનો વીજપુરવઠો ફેલ થતા લોકલ ટ્રેનો પણ થંભી ગઈ છે.જેને પગલે મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી નિવેદન કરાયું છે કે ટાટા કડુનામાં ગ્રિડ ફેલ થવાને કારણે વીજળીનો પુરવઠો અટકી ગયો છે. વીજ પુરવઠો ક્યારે મળશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી,જોકે વીજળી ગુલ થવા મામલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરી બધુ સારૂ થઈ જશે તેમ જણાવ્યું છે.મહત્વનું છે કે 400 કેવીની લાઈનમાં ખરાબી આવી છે. જેના કારણે MIDC, પાલઘર, દહાનૂ વિસ્તારમાં પણ વીજપુરવઠો ખોરવાઈ ગયો છે..સેન્ટ્રલ રેલવના મુખ્ય અધિકારીનું કહેવું છે કે, વીજળી ગુલ થવાને કારણે ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેના લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર થઈ છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 11:58 am, Mon, 12 October 20