મહારાષ્ટ્ર : નવાબ મલિક ED વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટના શરણે, તેમની ધરપકડને ગણાવી ગેરકાયદેસર

|

Mar 01, 2022 | 3:34 PM

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કનેક્શન કેસમાં હવે ED નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સકંજો કસવા જઈ રહી છે.EDએ ફરાજ મલિકને સમન્સ પાઠવ્યું છે.

મહારાષ્ટ્ર : નવાબ મલિક ED વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટના શરણે, તેમની ધરપકડને ગણાવી ગેરકાયદેસર
Nawab Malik (File Photo)

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં લઘુમતી મંત્રી નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાલ નવાબ મલિક (Nawab Malik) ED વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં (Bombay Highcourt) પહોંચ્યા છે. નવાબ મલિકે ED દ્વારા તેમની સામે નોંધાયેલ મની લોન્ડરિંગ કેસને રદ કરવાની અપીલ કરી છે. સાથે જ કોર્ટમાં કરેલી અરજીમાં તેણે તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે.

 નિશાન બનાવવાનો દેશમાં ટ્રેન્ડ શરૂ થયો

નવાબ મલિકે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે માત્ર તેની મુક્તિ માટે કોર્ટમાં અપીલ કરી નથી પણ તેને ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવા અને તેની સામેના આરોપોમાંથી મુક્ત કરવા પણ કહ્યું છે.

ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો
તાજમહેલ જે જમીન પર બન્યો છે ત્યાં પહેલા શું હતું? કોની હતી જમીન જાણો
મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કર્યું હોત તો તમે આજે કરોડપતિ હોત
દિગ્ગજ અભિનેતાની પત્નીએ દીકરાના નામે 17 લાખનું દાન કર્યુ, જુઓ ફોટો
'અનુપમા'ના એક એપિસોડ માટે રૂપાલી ગાંગુલી કેટલો ચાર્જ લે છે, જાણો
ટોઇલેટ ફ્લશમાં બે બટન કેમ હોય છે? નાના બટનનો શું ઉપયોગ હોય છે?

નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સંકજો

તમને જણાવી દઈએ કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કનેક્શન કેસમાં હવે ED નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સકંજો કસવા જઈ રહી છે. EDએ ફરાજ મલિકને સમન્સ પાઠવ્યું છે અને મલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લાંબી પૂછપરછ બાદ 23 ફેબ્રુઆરીએ ED દ્વારા નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ PMLAએ કોર્ટે તેને મની લોન્ડરિંગ કેસમાં આઠ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલ્યા છે. નવાબ મલિક હાલમાં EDની કસ્ટડીમાં છે અને તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

નવાબ મલિક 3 માર્ચ સુધી EDની કસ્ટડીમાં

નવાબ મલિક પર આરોપ છે કે તેણે મુંબઈના કુર્લા સ્થિત મુનિરા પ્લમ્બરની 300 કરોડની જમીન 30 લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેમાં 20 લાખ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી હતી. તેમજ આ જમીનના માલિકને એક પણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો. તેના બદલે આ જમીન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધિત વ્યક્તિઓના નામે પાવર ઓફ એટર્ની દ્વારા તેમને આપવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકના નામે લેવામાં આવી હતી.

આ પણ વાંચો : યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

Next Article