Mumbai: માલવાણીમાં મસ્જિદની સામે લાઉડસ્પીકર વગાડવાના મામલે કાર્યવાહી, ભાજપ નેતા આશિષ શેલારના ભાઈ સામે નોંધાયો કેસ

રામનવમી નિમિત્તે માલવાણી (Malwani) વિસ્તારમાં પોલીસની પરવાનગી વિના શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જુલુસ મસ્જિદ પાસે પહોંચતા જ નમાઝ શરૂ થઈ ગઈ હતી. તે જ સમયે, જુલુસના કેટલાક સભ્યોએ મસ્જિદની સામે હંગામો શરૂ કર્યો.

Mumbai: માલવાણીમાં મસ્જિદની સામે લાઉડસ્પીકર વગાડવાના મામલે કાર્યવાહી, ભાજપ નેતા આશિષ શેલારના ભાઈ સામે નોંધાયો કેસ
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:51 PM
રામનવમીના દિવસે મુંબઈ (Mumbai) ના માલવણી (Malwani) વિસ્તારમાં એક મસ્જિદની સામે લાઉડસ્પીકર લગાવવાથી તણાવ વધી જતાં મુંબઈ પોલીસે (Mumbai Police) કાર્યવાહી કરી છે. પોલીસે ભાજપ યુવા મોરચાના નેતા તેજિંદર સિંહ તિવાના અને આશિષ શેલારના ભાઈ વિનોદ શેલાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આવી સ્થિતિમાં હવે ભાજપ આક્રમક બને તેવી શક્યતા છે. હકીકતમાં, રામનવમીના દિવસે એક સરઘસ કાઢવામાં આવ્યું હતું અને અઝાન દરમિયાન મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવામાં આવ્યા હતા. રવિવારે રામનવમી નિમિત્તે માલવણી વિસ્તારમાં પોલીસની પરવાનગી વિના શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો કાર્યકરોએ ભાગ લીધો હતો.
જુલુસ મસ્જિદ પહોંચતા જ નમાઝ શરૂ થઈ ગઈ હતી. જુલુસના કેટલાક સભ્યોએ મસ્જિદની સામે હંગામો શરૂ કર્યો. કેટલાક લોકોએ લાઉડ સ્પીકર પર ગીતો વગાડીને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી. હવે માલવણી પોલીસ સ્ટેશનમાં આયોજકો અને ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો સહિત 30 થી 35 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  રેપ પીડિતાના નવા નિવેદનથી ફેલાઈ સનસનાટી, કહ્યું- ભાજપ નેતા ચિત્રા વાઘની ઉશ્કેરણી પર શિવસેનાના નેતા પર લગાવ્યો ગંભીર આરોપ
Follow Us