Mumbai Local : મોટી દુર્ઘટના ટળી ! ટ્રેન CSMT સ્ટેશન પર પાટા પરથી ઉતરી, હાર્બર લાઇન સેવા પ્રભાવિત

|

Jul 26, 2022 | 1:55 PM

સીએસએમટીથી પનવેલ જતી મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) પનવેલની દિશામાં જવાને બદલે પાછળની તરફ આવવા લાગી. જેના કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો.

Mumbai Local : મોટી દુર્ઘટના ટળી ! ટ્રેન CSMT સ્ટેશન પર પાટા પરથી ઉતરી, હાર્બર લાઇન સેવા પ્રભાવિત
Mumbai Local Train Derailed At Csmt Station
Image Credit source: Twitter

Follow us on

મુંબઈ લોકલ ટ્રેનને (Mumbai Local Train) લગતી મોટી દુર્ઘટના ટળી. આજે (મંગળવાર, 26 જુલાઈ) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે નવી મુંબઈ તરફની હાર્બર લાઇનની સેવાઓને માઠી અસર થઈ હતી. હાલ હાર્બર લાઇનની સેવા યોગ્ય ટાઈમ ટેબલ મુજબ શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે. સીએસએમટીથી પનવેલ જતી લોકલ પનવેલની દિશામાં જવાને બદલે પાછળની તરફ આવવા લાગી. જેના કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો.

સીએસએમટી રેલવે સ્ટેશનના હાર્બર લાઇનના પ્લેટફોર્મ નંબર એક પર સવારે 9.40 વાગ્યે આ અકસ્માત થયો હતો. જેના કારણે હાર્બર લાઇન પર વાશી અને પનવેલ તરફ જતી ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. હાલમાં પ્લેટફોર્મ નંબર બે આ દિશામાં બહાર પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આ ટ્રેક પર પહેલેથી જ અન્ય દિશામાં જતી સેવાઓનું દબાણ છે. જેના કારણે મુંબઈ લોકલની હાર્બર લાઇન સેવાને માઠી અસર થઈ છે. જેના કારણે આ માર્ગ પર જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાર્બર લાઇનની સેવા ફરીથી યોગ્ય રીતે શરૂ થવામાં બે થી ત્રણ કલાકનો સમય લાગશે. મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નવી મુંબઈ જતી ટ્રેનોને અસર થઈ

આજે સવારે જ્યારે સીએસએમટીથી પનવેલ જતી લોકલ ટ્રેનને લીલી ઝંડી મળતાં તે આગળ જવાને બદલે ખાલી જગ્યા તરફ પાછળ જવા લાગી હતી. એટલે કે 12 કોચની આ લોકલ ટ્રેન સિગ્નલ મળતાં જ પનવેલની દિશામાં જવાને બદલે સીએસએમટી સ્ટેશન પર જ પાછળની તરફ જવા લાગી. જેના કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો અને પ્લેટફોર્મ પરથી ખેંચાવા લાગ્યો. પરંતુ ત્યારબાદ રેલવે પ્રશાસનના ટેકનિકલ વિભાગના એન્જિનિયરો અને કર્મચારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

જેના કારણે હાર્બર લાઇનની સેવાને માઠી અસર થઇ છે. મધ્ય રેલવે દ્વારા સંચાલિત હાર્બર લાઇન સેવાઓ દક્ષિણ મુંબઈમાં CSMT ને નવી મુંબઈમાં વાશી, નેરુલ, બેલાપુર જેવા વિસ્તારો સાથે જોડે છે અને રાયગઢ જિલ્લામાં પનવેલ સુધી જાય છે.

Next Article