
મુંબઈના ડેપ્યુટી મેયર સંજય ઘાડીએ દુકાનો અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ, જેમાં ફાઇવ સ્ટાર હોટલો અને સેલિબ્રિટી માલિકીની દુકાનો શામેલ છે તેમને ને એક મહિનાની અંદર દેવનાગરી લિપિ મરાઠીમાં લખેલા સાઇનબોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે અને “શિવસેના સ્ટાઇલ”માં જવાબ આપવામાં આવશે. ડેપ્યુટી મેયરે મુંબઈની તમામ દુકાનો, હોટલો અને ઓફિસોને એક મહિનાની અંદર મરાઠી સાઇનબોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે.
ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે મુંબઈમાં આશરે 9 લાખ દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ છે. તેમાંથી 5020 એ હજુ સુધી મરાઠી સાઇનબોર્ડ લગાવ્યા નથી. PTI અનુસાર, સંજય ઘાડીએ કહ્યું, “ફાઇવ સ્ટાર હોટેલ હોય કે અન્ય કોઈ વ્યવસાયિક સંસ્થાઓ, મરાઠીમાં સાઇનબોર્ડ લગાવવા ફરજિયાત છે.” વધારામાં તેમણે ઉમેર્યું કે નિયમના પાલન માટે નિરીક્ષણ કરવામાં આવશે. જો એક મહિનાની અંદર સ્પષ્ટ દેખાતા મરાઠી સાઇનબોર્ડ નહીં લગાવવામાં આવે તો પક્ષપ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખમંત્રી એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ “શિવસેના સ્ટાઇલ”માં જવાબ આપવામાં આવશે.
બીએમસીના નવા આદેશ હેઠળ, તમામ વ્યાવસાયિક સંસ્થાઓએ દેવનાગરી લિપિનો ઉપયોગ કરીને તેમના નામ મરાઠીમાં લખવા ફરજિયાત છે. અધિકારીઓએ જણાવ્યું કે મરાઠીમાં લખાયેલા અક્ષરો સ્પષ્ટ દેખાવા જોઈએ અને અન્ય ભાષાના સાઇનબોર્ડ જેટલા જ મોટા હોવા જોઈએ. બીએમસીએ જણાવ્યું કે સમયમર્યાદા સમાપ્ત થયા પછી નિરીક્ષણ પણ કરવામાં આવશે.
STORY | Shops, hotels in Mumbai must install Marathi signboards or face ‘Sena-style’ action: Dy Mayor
Mumbai Deputy Mayor Sanjay Ghadi has asked shops and other establishments, including five-star hotels and celebrity-owned outlets, to prominently display signboards in Marathi… pic.twitter.com/8ISbIzX4sB
— Press Trust of India (@PTI_News) May 14, 2026
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલું મરાઠી ભાષાની ઓળખને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ભાષામાં સાઇનબોર્ડ પ્રદર્શિત કરવા અંગે રાજ્યના હાલના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે છે. આ મુદ્દો ઘણીવાર મહારાષ્ટ્રમાં રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે. પ્રાદેશિક પક્ષોએ વારંવાર મરાઠી સાઇનબોર્ડ સંબંધિત નિયમોના કડક અમલીકરણની માંગણી કરી છે.
મહારાષ્ટ્ર સરકારે અગાઉ મ્યુનિસિપલ સંસ્થાઓને નિર્દેશ આપ્યો હતો કે તમામ સંસ્થાઓ તેમના નામ મુખ્ય રીતે મરાઠીમાં પ્રદર્શિત કરે. બીએમસી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જે વ્યવસાયો આદેશની અવગણના કરશે તેમની દુકાન અને વ્યવસાયિક સંસ્થાને સંબંધિત મ્યુનિસિપલ નિયમો હેઠળ દંડ અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. જોકે, આનાથી એક નવો વિવાદ પણ ઉભો થયો છે.