મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસ 19 હજારને પાર, જાણો મુંબઈ શહેરની શું છે સ્થિતિ?

|

Sep 29, 2020 | 12:02 PM

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કેસ 56 હજારના આંકને વટાવી ગયા છે. જ્યારે 1800થી વધારે લોકોએ દેશમાં કોરોના વાઈરસના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાનો કાળો કેર મહારાષ્ટ્રમાં વર્તાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 19 હજારને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 19063 […]

મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસ 19 હજારને પાર, જાણો મુંબઈ શહેરની શું છે સ્થિતિ?

Follow us on

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસના કેસ 56 હજારના આંકને વટાવી ગયા છે. જ્યારે 1800થી વધારે લોકોએ દેશમાં કોરોના વાઈરસના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાનો કાળો કેર મહારાષ્ટ્રમાં વર્તાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 19 હજારને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 19063 કેસ નોંધાયા છે અને તેમાંથી 12142 કેસ ફક્ત મુંબઈ શહેરના જ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંચો :   8મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 255 કેસ ક્યાં વિસ્તારમાં નોંધાયા? જુઓ લિસ્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં શુક્રવારના રોજ કોરોના વાઈરસના સંક્રમણના લીધે 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે બાદ મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 731 થઈ ગયો છે. મુંબઈની વાત કરીએ તો ફક્ત મુંબઈ શહેરમાં જ શુક્રવારના રોજ નવા 748 કેસ સામે આવ્યા છે. જ્યારે 25 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. શહેરમાં કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીની સંખ્યા 12142 થઈ ગયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 3390 કેસ સામે આવ્યા છે. જ્યારે 103 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રેટ એટલે કે રિકવરી રેટ 29.35 ટકા છે. દેશમાં કોરોના વાઈરસથી 1886 લોકોના જીવ ગયા છે જ્યારે 16 હજારથી વધારે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે અને સ્વસ્થ થયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:07 pm, Fri, 8 May 20

Next Article