અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે જો તે પોતાના દાવાને સાબિત નહીં કરી શકે તો તે પોતાનો ‘પદ્મશ્રી’ એવોર્ડ પરત આપી દેશે. આ પહેલા કંગનાએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના લોકો પર આરોપ લગાવતા કહ્યું કે બોલિવુડમાં નેપોટિઝમના કારણે સુશાંતે આત્મહત્યા જેવું પગલું ભર્યુ. અભિનેત્રી કંગના રનોતે સુશાંતના નિધન બાદ સૌ પ્રથમ નેપોટિઝમની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઘણા બોલિવુડ કલાકારનું તેમને સમર્થન મળ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે હવે કંગનાએ કહ્યું કે મુંબઈ પોલીસે મને બોલાવી અને મેં પણ તેમને પૂછ્યુ કે હું મનાલીમાં છું અને શું તમે કોઈને મોકલી શકો છો મારૂં નિવેદન લેવા માટે પણ ત્યારબાદ મને કોઈ જવાબ ના મળ્યો. હું જણાવી રહી છું કે જો મેં કંઈક એવું કહી દીધું હોય, જેની ગવાહી હું નથી આપી શકતી, જેને હું સાબિત નથી કરી શકતી અને જે જનતાના હિતમાં નથી તો હું પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરી દઈશ. હું પછી તેની હકદાર નહીં રહું. કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના તે લોકોના નામનો ખુલાસો કર્યો, જેમને સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં પૂછતાછ માટે અત્યાર સુધી બોલાવવામાં આવ્યા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:13 pm, Sat, 18 July 20