‘તિરંગો છે, ઘર નથી, તો ઘરમાં તિરંગો કેવી રીતે લગાડવો’, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા

|

Aug 13, 2022 | 9:24 PM

ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દેશના સંઘીય માળખાને નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને હર ઘર તિરંગાના નારા આપવામાં આવી રહ્યા છે.

તિરંગો છે, ઘર નથી, તો ઘરમાં તિરંગો કેવી રીતે લગાડવો, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
Uddhav Thackeray (File photo)

Follow us on

શિવસેના (Shiv Sena) પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે (13 ઓગસ્ટ) વ્યંગાત્મક સાપ્તાહિક ‘માર્મિક’ની 62મી વર્ષગાંઠના અવસર પર શિવસૈનિકો સાથે વાતચીત કરી. ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે જો શિવસેના ન હોત તો મહારાષ્ટ્રમાં મરાઠી માનુનીઓની શું હાલત હોત અને દેશમાં હિન્દુત્વની શું હાલત હોત, એ વિચારવા જેવી વાત છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘માર્મિક’ મેગેઝિન બાળાસાહેબ ઠાકરેએ તેમના કાકા અને દાદા સાથે 1960માં શરૂ કર્યું હતું. આજે આપણે દેશની આઝાદીના અમૃત મહોત્સવ (75 વર્ષ)ની ઉજવણી કરી રહ્યા છીએ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ માર્મિક પત્રિકાની 62મી વર્ષગાંઠ છે. હું પણ 62 વર્ષનો થઈ ગયો છું. પણ માણસ ઉંમરથી નહીં પણ વિચારોથી યુવાન કે વૃદ્ધ હોય છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આજે દરેક ઘરમાં તિરંગાના નારા આપવામાં આવી રહ્યા છે પરંતુ એક વ્યંગ આવ્યો છે. આમાં કેટલાક લોકોને બતાવવામાં આવ્યા છે, જેમની પાસે ઘર નથી. તેઓ ત્રિરંગો ક્યાં લગાડે? બીજું વ્યંગાત્મક ચિત્ર છે. જેમાં જન્માષ્ટમીના તહેવારને આધાર બનાવીને વ્યંગ કરવામાં આવ્યો છે. જેમાં એક ભક્ત શ્રી કૃષ્ણને કહી રહ્યો છે કે ભગવાન માખણ પછી ખાશે, પહેલા 5 ટકા GST આપો. માત્ર ત્રિરંગો લહેરાવવો એ દેશભક્તિનો પુરાવો નથી.

દેશના સંઘીય માળખાને નષ્ટ કરીને કહી રહ્યા છે – હર ઘર તિરંગા

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દેશના સંઘીય માળખાને નષ્ટ કરવામાં આવી રહ્યું છે અને હર ઘર તિરંગાના નારા આપવામાં આવી રહ્યા છે. જેપી નડ્ડાની ભાષા પર ધ્યાન આપવાની જરૂર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકશાહી તેની મૃત્યુશૈયા પર પડી છે. કેટલાક લોકો એવું માને છે કે ભારત માતા એટલે પોતાની માલમત્તા (મિલકત) છે. પરંતુ તેઓ જે રીતે વિચારે છે તેમ થતું નથી. તેમને લાગે છે કે શિવસેના હવે ખતમ થઈ ગઈ છે. લોકો બધું જોઈ રહ્યા છે. જનતા દરેક બાબતની નોંધ લે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

શું ઘરે તિરંગો લહેરાવીને ચીનને અરુણાચલમાંથી ભગાડી શકાય છે?

સ્વતંત્રતાના અમૃત ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને ચીન સરહદની અંદર પ્રવેશી રહ્યું છે. શું દરેક ઘર પર ત્રિરંગો લહેરાવીને અરુણાચલ પ્રદેશમાંથી ચીનને ભગાડી શકાય છે ? સૈન્યને આધુનિક બનાવવાની વાત કરી રહ્યા છે અને સૈનિકોની કોન્ટ્રાક્ટ પર ભર્તી કરી રહ્યા છે. તેમની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છે. આ આધુનિક હથિયાર કોણ ચલાવશે? આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવીએ છીએ, પરંતુ જ્યાં ખેડૂતો પૂરમાં ફસાયા છે, ત્યાં કેટલા મંત્રીઓ અને સંત્રીઓ જઈ રહ્યા છે? ફક્ત ઉજવણી કરવી છે. કર્તવ્ય નિભાવવું નથી.

Next Article