શિવસેના ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની ? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની રાજકીય લડાઈ ઉપરાંત કાનુની લડાઈ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહી છે. શિંદે જૂથના ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરતી ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

શિવસેના ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની ? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
Eknath Shinde and Uddhav Thackeray (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 8:53 AM

મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ હવે શિવસેના ઉપર એકનાથ શિંદે (Eknath Shinde ) અને ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray )  દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંનેના પોતપોતાના દાવા શિવસેના અને તેના પ્રતિક ઉપર કર્યાં છે. બંને જૂથની લડાઈ સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહી છે. શિંદે જૂથના ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરતી ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરાશે. શિવસેના ( Shiv Sena) અને શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે તમામ અરજીકર્તાઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આપેલી તારીખ મુજબ આજે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

આજની સુનાવણીમાં નિર્ણય અપેક્ષિત છે કે શું ધારાસભ્યની ગેરલાયકાતનો કેસ નિર્ણય માટે વિધાનસભાના અધ્યક્ષને મોકલવામાં આવશે અથવા આ બાબતની સુનાવણી ત્રણ સભ્યોની અથવા બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી શિંદેને આ મુદ્દે પુરાવા રજૂ કરવા માટે 8 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે, કે અસલી શિવસેના કોની છે. તેથી, ચૂંટણી પંચ સમક્ષની કાર્યવાહી પર રોક લગાવવાની ઉદ્ધવ ઠાકરે જૂથની માંગ પર કોર્ટ વચગાળાનો આદેશ આપી શકે છે.

આ દરમિયાન 20 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે કેટલાક મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ મામલો અત્યંત સંવેદનશીલ છે, કલમ 32 હેઠળ, બંને જૂથોએ અગાઉ હાઈકોર્ટમાં જવું જોઈતું હતું. આ મામલાની સુનાવણી બંધારણીય બેંચ સમક્ષ થવી જોઈએ.” જે બાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સુનાવણી 1 ઓગસ્ટના રોજ થશે. પરંતુ, હવે આ સુનાવણી 3 ઓગસ્ટે એટલે કે આજે થશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

શું છે સમગ્ર મામલો?

એકનાથ શિંદેએ શિવસેનાના 39 ધારાસભ્યોના સમર્થન સાથે બળવો કર્યો હતો. પહેલા સુરત પછી ગુવાહાટી તેમનું નિવાસસ્થાન બન્યું. ત્યારે શિવસેના દ્વારા શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ સામે શિંદે ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી હતો. જ્યારે ઉદ્ધવ જૂથે માંગ કરી છે કે શિવસેનાથી અલગ થયેલા શિંદે જૂથને બંધારણની દસમી સૂચિ અને સત્તામાં આવેલી સરકારની જોગવાઈઓ અનુસાર અન્ય કોઈપણ પક્ષમાં જોડાવા માટે ગેરલાયક ઠેરવવામાં આવે. તેમના સમર્થન સાથે ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ. શિવસેનાએ આ મોટી માંગ સહિત અનેક બાબતોને પડકારતી અરજી દાખલ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">