Hiware Bazar: ભારતમાં આવેલું છે કરોડપતિઓનું ગામ,વર્ષે 1989 પછી બદલાઇ ગામની કિસ્મત

|

Oct 12, 2024 | 12:52 PM

Unique Indian Village: ભારતનું આ ગામ એટલું સ્વચ્છ છે કે અહીં એક પણ મચ્છર નથી. જો ગામમાં કોઈ મચ્છર શોધીને બતાવે તો તેને 400 રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે.

Hiware Bazar: ભારતમાં આવેલું છે કરોડપતિઓનું ગામ,વર્ષે 1989 પછી બદલાઇ ગામની કિસ્મત
Hiware Bazar

Follow us on

Hiware Bazar Story: મહારાષ્ટ્ર (Maharashtra)ના અહમદનગર જિલ્લામાં એક ગામ છે જ્યાં 80 લોકો કરોડપતિ છે. એટલું જ નહીં આ ગામમાં એક પણ મચ્છર નથી. જો કોઈને અહીં મચ્છર મળે અને બતાવે તો તેને 400 રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ગામનું નામ હિવરે બજાર છે. હિવરે બજાર(Hiware Bazar) એક સમયે દુષ્કાળથી પીડિત હતું. પરંતુ અહીંના લોકોએ પોતાના દમ પર આ ગામની દશા અને દિશા બદલી નાખી છે. હિવરે બજાર ગામમાં 305 પરિવારો રહે છે, જેમાંથી 80 લોકો કરોડપતિ છે. 1990ના દાયકામાં હિવરે બજારના 90 ટકા પરિવાર ગરીબ હતા, પરંતુ હવે આ ગામની કિસ્મત બદલાઈ ગઈ છે. હિવરે બજારની રસપ્રદ કહાની

તમને જણાવી દઈએ કે 80-90ના દાયકામાં હિવરે બજાર ગામ ભયંકર દુષ્કાળથી પીડિત હતું. પીવા માટે પાણી બચ્યું ન હતું. કેટલાક લોકો તેમના પરિવાર સાથે સ્થળાંતર કરી ગયા હતા. પરંતુ તેમ છતાં ગામના લોકોએ આશા ગુમાવી ન હતી. તેણે ગામને બચાવવા કમર કસી. વર્ષ 1990 માં, ગામના લોકોએ ‘સંયુક્ત વન વ્યવસ્થાપન સમિતિ’ની રચના કરી. જે અંતર્ગત શ્રમદાન દ્વારા ગામમાં કુવા ખોદવાની અને વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામ કરવા માટે, મહારાષ્ટ્ર રોજગાર ગેરંટી યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયું હતું. આનાથી ગામના લોકોને ઘણી મદદ મળી.

ગામમાં આ પાક પર પ્રતિબંધ હતો

પાણી બચાવવા માટે, હિવરે બજારના લોકોએ ગામમાં એવા પાક પર પ્રતિબંધ મૂક્યો કે જેને ઉગાડવા માટે વધુ પાણીની જરૂર પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રામજનોના પ્રયાસોને કારણે અહીં પાણીનું સ્તર 30-35 ફૂટ પર આવી ગયું છે. ગામમાં ટ્યુબવેલ ખલાસ થઈ ગયા છે.

આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી

પાણી બચાવવા માટે આ પગલાં લીધા

નોંધનીય છે કે હિવરે બજાર ગામમાં અગાઉ શેરડી અને જુવાર વગેરેની ખેતી થતી હતી, પરંતુ પ્રતિબંધ બાદ અહીં બટાકા અને ડુંગળીની ખેતી થાય છે. લોકો આમાંથી ખૂબ પૈસા કમાય છે. ગામના પોપટ રાવ કહે છે કે અહીંના લોકો હવે વરસાદની રાહ જોતા નથી, પરંતુ ઓછા પાણીની જરૂર પડે તેવા પાકની ખેતી કરે છે.

હિવરે બજારના રહેવાસી પોપટ રાવે જણાવ્યું કે ગામમાં 305 પરિવારો અને લગભગ 1250 લોકો રહે છે. તેમાંથી 80 લોકો એવા છે જે કરોડપતિ છે. 50 થી વધુ પરિવારોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ છે.

Next Article