મહારાષ્ટ્રના(Maharashtra) થાણે (Thane)જિલ્લામાં આગની ઘટના સામે આવી છે. થાણેના ભિવંડી શહેરમાં એક ગોડાઉનમાં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી. આ વેરહાઉસમાં વિવિધ પ્રકારના કાગળોનો સ્ટોક હતો. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.
હકીકતમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની(Thane Municipal Corporation) પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે કાલ્હેર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં સવારે 3.30 વાગ્યે આગ લાગી હતી. તેમણે કહ્યું કે ભિવંડી નિઝામપુર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગના કેટલાક કલાકો સુધી પ્રયાસ કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી.
કદમે જણાવ્યું કે આ ઘટના દરમિયાન ગોડાઉનમાં વિવિધ પ્રકારના કાગળો રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શક્ય તેટલી વહેલી તકે કારણ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
થાણેમાં રોજેરોજ આગની ઘટનાઓ બને છે
તે ખરેખર ચિંતાજનક છે કે મુંબઈમાં દરરોજ આવી ઘટનાઓ બની રહી છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા મુંબઈના નાગપાડામાં એક જૂની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ આગ એકદમ ભીષણ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરનાં છ એન્જિન અને પાણીનાં મોટા ટેન્કરો સ્થળ પર પહોંચી ગયા હતા.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : લો બોલો..! ઘરમાં પાણીની સમસ્યાથી હેરાન Big B, આ રીતે KBC ના સેટ પર તૈયાર થવું પડે છે અમિતાભ બચ્ચનને
આ પણ વાંચો : રેલવેના વેલફેર ઇન્સ્પેક્ટરે માંગી લાખો રૂપિયાની લાંચ, CBIએ રંગેહાથ ઝડપી પાડ્યો અધિકારીને
આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : આ ખેતીમાં એક વાર પૈસા લગાવવાથી કરી શકો છો વરસો સુધી કમાણી, જાણો સમગ્ર માહિતી
Published On - 3:27 pm, Sat, 28 August 21