શિવસેનાના નામ અને ચિહ્ન પરના વિવાદ પર આજે નિર્ણય ન આવ્યો, જાણો ક્યારે થશે આગામી સુનાવણી

|

Jan 17, 2023 | 6:35 PM

આજે કપિલ સિબ્બલે ઠાકરે જૂથ વતી દલીલો રજૂ કરી હતી. છેલ્લી સુનાવણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચે શિંદે જૂથ વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીની દલીલો સાંભળી હતી. કપિલ સિબ્બલે ચૂંટણી પંચને અપીલ કરી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટના (Supreme Court) નિર્ણય પહેલા પોતાનો નિર્ણય ન આપે.

શિવસેનાના નામ અને ચિહ્ન પરના વિવાદ પર આજે નિર્ણય ન આવ્યો, જાણો ક્યારે થશે આગામી સુનાવણી
Uddhav Thackeray - Eknath Shinde

Follow us on

શિવસેના પાર્ટીના નામ અને ચિહ્ન પર કોનો અધિકાર છે? શિંદે જૂથ કે ઠાકરે જૂથ? આ મામલે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત શિવસેના પક્ષ પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ 23 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે, તે પહેલા ઠાકરે જૂથે સંગઠનાત્મક ચૂંટણી કરાવવાની પરવાનગી માંગી છે. આ મુદ્દે સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચ હવે 20 જાન્યુઆરી, શુક્રવારના રોજ આ મામલે સુનાવણી કરશે.

શિવસેનાના નામ અને ધનુષબાણના પ્રતીકને લઈને આજે નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આજે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઠાકરે જૂથ વતી દલીલો રજૂ કરી હતી. છેલ્લી સુનાવણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચે શિંદે જૂથ વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીની દલીલો સાંભળી હતી. કપિલ સિબ્બલે સૌપ્રથમ ચૂંટણી પંચને અપીલ કરી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા પોતાનો નિર્ણય ન આપે.

શિવસેનામાં બે જૂથ હોવાની વાત કાલ્પનિક: કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે કહ્યું કે શિવસેનામાં બે જૂથ હોવાની વાત કાલ્પનિક છે. કેટલાક લોકોના અલગ થવાથી પાર્ટી પર દાવો નથી થતો. આ ગેરકાયદેસર છે. સિબ્બલે કહ્યું કે શિવસેના પાર્ટીમાં રહીને જે લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો, જે લોકોએ પાર્ટી સાથે જોડાયેલી બાબતોમાં પોતાનો મત આપ્યો, તેઓ કેવી રીતે કહી શકે કે પાર્ટીમાં લોકશાહી નથી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ પણ વાંચો : શિવસેનાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર, કહ્યુ ‘ક્યાં સુધી દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળશો, ક્યારેક તો જવાબદારી લો’

આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ થશે

કપિલ સિબ્બલે કહ્યું કે, ધારાસભ્યો અને સાંસદોની બહુમતીના આધારે પાર્ટી પર દાવો કરી શકાય નહીં. જે જનપ્રતિનિધિઓ પક્ષના ચિન્હ અને નામના આધારે ચૂંટણી જીતે છે, તેઓ એમ કહી શકતા નથી કે તેમની પાસે બહુમતી છે, તેથી તેમનો દાવો મૂળ પક્ષ પર કરવામાં આવે છે. માત્ર ધારાસભ્યો અને સાંસદો દ્વારા પાર્ટીની રચના થતી નથી. ઘણા કાર્યકરો, અધિકારીઓ તેને બનાવે છે. તેથી જ બહુમતી હોવાની દલીલ યોગ્ય નથી.

કપિલ સિબ્બલે પોતાની દલીલો રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે તેમની વાત સાથે સહમત થયા અને આગામી તારીખ 20 જાન્યુઆરી આપી. શિંદે જૂથના બળવા પછી શિવસેના અલગ થઈ ગઈ. આ પછી, અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી, કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેનાના બંને જૂથો માટે અલગ-અલગ નામ અને ચૂંટણી પ્રતીકો નક્કી કર્યા.

Published On - 6:35 pm, Tue, 17 January 23

Next Article