ભાજપ-શિવસેનાના ગઠબંધનની અટકળો વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યુ આ નિવેદન

|

Sep 17, 2021 | 11:46 PM

મીડિયાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને જ્યારે રાવસાહેબ દાનવે વિશે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે મંચ પર તમામ વર્તમાન અને જૂના સાથીઓ હાજર હતા. જો તેઓ ભવિષ્યમાં સાથે આવે તો તેઓ ભવિષ્યના સાથી બની શકે છે.

ભાજપ-શિવસેનાના ગઠબંધનની અટકળો વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યુ આ નિવેદન
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે વિશે કંઈક એવું કહ્યું કે ફરી એકવાર શિવસેના-ભાજપ ગઠબંધનની અટકળો લગાવવામાં આવી રહી છે.

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે શિવસેનાના ગઠબંધનની (BJP-Shivsena) અટકળોએ ફરી એક વખત જોર પકડ્યું છે. ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે વિશે કંઈક એવું કહ્યું કે ફરી એકવાર શિવસેના-ભાજપ ગઠબંધનની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન તેમના નજીકના સહયોગી અને મંત્રી અનિલ પરબ સામે ઈડીની કાર્યવાહીને જોતા ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

 

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભવિષ્યના સાથીઓના નિવેદનનો તેમનો અર્થ શું છે તે તો સમય જ કહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે રાવસાહેબ દાનવેને (Raosaheb Danve) મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા મુંબઈ અને નાગપુરને જોડવાની કેન્દ્રની યોજના માટે તેમને મુંબઈ આવવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આનો અર્થ એ છે કે રાજ્યના વિકાસ માટે બધાએ સાથે આવવું જોઈએ.

 

રાવસાહેબને ગણાવ્યા ભાવિ સાથીદાર 

સંબોધનની શરૂઆતમાં રાવસાહેબ દાનવેને જોતા સીએમ ઉદ્ધવે કહ્યું કે સ્ટેજ પર હાજર તમામ વર્તમાન અને જૂના સાથીઓ .. આ સાથે તેમણે કહ્યું કે જો તેઓ ભવિષ્યમાં સાથે આવશે તો ભવિષ્યના સાથીઓ .. તેમની આ વાતથી ફરી એકવાર ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે કેન્દ્રીય મંત્રી દાનવેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ અમારા જૂના સાથી છે અને ભવિષ્યમાં કોણ ક્યારે ભેગા થશે તે કહી શકાય નહીં.

 

‘કોણ ક્યારે સાથે થઈ જાય તેની કોઈને ખબર નથી’

મીડિયાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને રાવસાહેબ દાનવે વિશે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે તમામ હાજર અને જૂના સાથીઓ મંચ પર હાજર હતા. જો તેઓ ભવિષ્યમાં સાથે આવે તો તેઓ ભવિષ્યના સાથી બની શકે છે. જ્યારે પત્રકારે તેમને આ વાતનો અર્થ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે જ્યારે તેઓ સાથે આવશે, ત્યારે જ ખબર પડશે. જ્યારે તેમને મહાવિકાસ આઘાડી સાથે ભાજપના ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીએમએ કહ્યું કે સમય જ કહેશે.

 

આ પછી તેમણે આ વસ્તુને મજાક ગણાવી અને કહ્યું કે રાજકારણનું પોતાનું સ્થાન છે, પરંતુ આજના સમયમાં રાજકારણને ઘણું મોટું બનાવવામાં આવી રહ્યું છે. તે ક્યાંક અટકી જવું જોઈએ. સીએમ ઉદ્ધવે કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર છે, પરંતુ તમામ લોકો એક જ માટીના બનેલા છે. સીએમ ઉદ્ધવે કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના હોદ્દાનો ઘમંડ છોડીને રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

 

ભાજપ-શિવસેનાના ગઠબંધનની અટકળો તેજ

કહેવાય છે કે રાજકારણમાં કંઈ પણ કાયમી નથી હોતું. કયા કટ્ટર હરીફો એકસાથે થઈ જશે તે કોઈને ખબર નથી. ભાજપ અને શિવસેના ભૂતકાળમાં પણ ગઠબંધનમાં રહ્યા છે. અત્યારે બંને વચ્ચે રાજકીય અંતર છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ફરી એકવાર બંને પક્ષોના ગઠબંધનની ચર્ચાને બળ મળ્યું છે. જો કે સમય જ કહેશે કે ગઠબંધન થશે કે નહીં.

 

ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા ફડણવીસે કહ્યું કે અમારી નજર સત્તા પર નથી અને અમે એક અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ. તેમને લાગે છે કે મુખ્યમંત્રીને સમજાયું છે કે મહા વિકાસ આઘાડી ગઠબંધન દ્વારા મહારાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે, એટલે જ તેમણે આવી વાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે, પરંતુ આજના સમયમાં ગઠબંધનની કોઈ શક્યતા નથી.

 

આ પણ વાંચો :  Maharashtra: માતા અને પુત્ર સંબંધીના ઘરેથી ગણપતિના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, રસ્તાના ખાડાઓએ લીધો જીવ

Next Article