મહારાષ્ટ્રમાં રોજગારની સમસ્યાને અમુક અંશે દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 2 લાખ કરોડ રૂપિયાના 225 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ જાણકારી પીએમ નરેન્દ્ર મોદીએ આપી છે. મુંબઈમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં બે હજારથી વધુ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં મહારાષ્ટ્રના યુવાનો માટે વધુ રોજગારીની તકો ઉભી થશે. તેમણે કહ્યું, “કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણો ખર્ચ કરી રહી છે. તેનાથી લાખો રોજગારીની તકો ઉભી થશે.
પીએમ મોદીએ કહ્યું, ‘સરકાર સ્ટાર્ટઅપ્સ, નાના પાયાના ઉદ્યોગોને શક્ય તમામ મદદ કરી રહી છે. આનાથી મોટી સંખ્યામાં યુવાનોને તેમનું કૌશલ્ય બતાવવાની તક મળશે. સરકારના પ્રયાસો હેઠળ આ રોજગારીની તકો દલિતો, આદિવાસીઓ અને મહિલાઓને સમાનરૂપે ઉપલબ્ધ થશે.
યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે આયોજિત રાજ્ય કક્ષાના રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું “આજે, સરકાર સમગ્ર દેશમાં માળખાકીય સુવિધાઓ, માહિતી ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં વ્યાપકપણે રોકાણ કરી રહી છે. જેના કારણે રોજગારીની ઘણી નવી તકો ઉભી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં 2 લાખ કરોડથી વધુના 225 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ ગયું છે અથવા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં રેલવે માટે 75 હજાર કરોડ અને રોડ ડેવલપમેન્ટ માટે 50 હજાર કરોડનું ફંડ આપવામાં આવ્યું છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ‘છેલ્લા આઠ વર્ષમાં 8 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે જોડાઈ છે. તેમને સાડા પાંચ લાખ કરોડની મદદ આપવામાં આવી છે. આ જૂથની મહિલાઓ અન્ય મહિલાઓને પણ રોજગાર આપી રહી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારના ખર્ચમાં વધારાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ લાખો નોકરીઓ પેદા કરવામાં તેની ભૂમિકા અને યોગદાન જણાવતા કહ્યું કે, “કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સુવિધાઓ પર ઘણો ખર્ચ કરી રહી છે. તેનાથી લાખો રોજગારીની તકો ઉભી થઈ રહી છે. ભવિષ્યમાં પણ મહારાષ્ટ્રમાં યુવાનો માટે રોજગારીની વધુ તકો ઉભી થશે.” પીએમ મોદીએ આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.