Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો

|

Mar 02, 2022 | 3:38 PM

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનુ કહ્યુ હતુ.

Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો
Anil Deshmukh (File Photo)

Follow us on

Maharashtra:  મહારાષ્ટ્રની એક વિશેષ અદાલતે CBI ને 100 કરોડની ખંડણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું(Anil Deshmukh)  નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અનિલ દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

કોર્ટના વિશેષ ન્યાયાધીશ આર એન રોકડેએ સોમવારે તપાસ એજન્સી CBI ને આર્થર રોડ જેલમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવવુ રહ્યુ કે, દેશમુખ હાલ આર્થર જેલમાં બંધ છે.

જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે

3 માર્ચથી CBI અધિકારીને અનિલ દેશમુખને મળવાની મંજૂરી આપવામાં આવી છે.સીબીઆઈના અધિકારીઓ આગામી ત્રણ દિવસ સુધી તેમને મળી શકે છે. જો કે સીબીઆઈ અધિકારીઓ એકલા દેશમુખનું નિવેદન નોંધશે નહીં. અધિકારીઓ આર્થર રોડ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પૂર્વ પોલીસ કમિશનરે આક્ષેપ કર્યો હતો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કહ્યુ હતુ. જો કે દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા છે.પરમબીર સિંહે CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આક્ષેપો કર્યા હતા. જે બાદ ફરિયાદના આ પત્ર સાથે એડવોકેટ જયશ્રી પાટીલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.હાલ એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે જો તેમની તપાસમાં કંઈક સામે આવે તો FIR પણ નોંધાઈ શકે છે.

બરતરફ કરાયેલા પોલીસકર્મીને એન્ટિલિયા કેસમાં જામીન મળ્યા નથી

મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે બરતરફ કરાયેલા પોલીસકર્મી રિયાઝુદ્દીન કાઝીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કાઝીએ ગયા વર્ષે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક એક વાહનમાં વિસ્ફોટકો મળવા અને મનસુખ હિરેનની હત્યામાં તેની કથિત ભૂમિકાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : NCB Team: આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હતું, તે તેના નેટવર્કનો ભાગ નહોતો

Next Article