
Ganeshotsav 2026:મુંબઈનો ગણેશોત્સવ તેની ભવ્યતા અને અનોખી પરંપરાઓ માટે દેશભરમાં જાણીતો છે. આ દરમિયાન, ગણપતિ ઉત્સવ ફરી એકવાર ચર્ચામાં છે. અહીં, બાપ્પાની ભવ્ય સજાવટ, વૈદિક પરંપરાઓ અને ઉત્સવ માટેની ખાસ વ્યવસ્થા દર વર્ષે ભક્તોનું ધ્યાન ખેંચે છે. આ વખતે પણ, ગણેશોત્સવ મંડળે ગણેશોત્સવ માટે એવી તૈયારીઓ કરી છે કે તે તેને વધુ ખાસ બનાવી રહ્યું છે.
મુંબઈના કિંગ્સ સર્કલ સ્થિત જીએસબી સેવા મંડળે પોતાના 72માં ગણેશોત્સવ પહેલા ભગવાન મહાગણપતિના ભવ્ય વિરાટ દર્શનનું અનાવરણ કર્યું છે. GSB મહાગણપતિની પ્રતિમાને 66 કિલોથી વધારે શુદ્ધ સોના, 335 કિલો ચાંદી અને કિંમતી રત્નોથી શણગાર્યું છે. આ પ્રતિભા આસ્થા, ભક્તિ અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. GSB સેવા મંડળની આધ્યાત્મિક પરંપરા ખુબ સમુદ્ધ રહી છે.
અત્યાર સુધીમાં અહીં 1 લાખથી વધુ પૂજા અને સેવા યોજાઈ છે. ગણેશોત્સવ દરમિયાન, સેવા અને અન્નદાન પર ખાસ ભાર મૂકવામાં આવે છે. અન્નદાન રસોડું દરરોજ આશરે 40 હજાર ભક્તોને સેવા આપે છે, જ્યારે સમગ્ર ઉત્સવ દરમિયાન અન્નદાન 2 લાખ થી વધુ લોકો સુધી પહોંચે છે.
આ વર્ષે મહાગણપતિની પ્રતિમા અને તેની સાથે જોડાયેલી સંપત્તિો સહિત સમગ્ર ઉત્સવ માટે 703.27 કરોડ રુપિયાના રેકોર્ડ વીમા કવર લેવામાં આવ્યો છે. આ પહેલા મંડળ દ્વારા 2025માં 474 કરોડ રુપિયા અને વર્ષ 2024માં 400 કરોડ રુપિયાના વીમા કરાવવામાં આવ્યો હતો.જીએસબી સેવા મંડળે આ વર્ષે ગણેશઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની આશા છે.
મંડળ અનુસાર ભક્તોની સુરક્ષા અને તેની સુવિધાઓ સુનિશ્ચિત કરવા તેની પ્રાથમિક જવાબદારીઓ છે. મંડળે આ વખતે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ પગલું ઉઠાવ્યું છે. પારંપારિક અને પ્રિન્ટેડ રીસીપ પ્રકિયા પૂર્ણ કરવામાં આવી છે. આખી પ્રકિયા ડિજિટલ કરવામાં આવી છે. કાગળનો બગાડ ઘટાડીને ગણેશોત્સવને પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મંડળના જે ગણપતિ છે. તેની સજાવટની પણ ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ મહાગણપતિની પ્રતિમા અને તેની ભવ્ય સજાવટ સુંદર છે. તમને જણાવી દઈએ કે, પાંચ દિવસના ગણેશઉત્સવ 14 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરસુધી આયોજિત કરવામાં આવ્યું છે.