Breaking News Maharashtra : પુણેના બાવધનમાં હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, જાણો શું હતું કારણ

|

Oct 02, 2024 | 9:49 AM

Helicopter Crash : મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે હેલિકોપ્ટર અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોના મોત થયા છે. માહિતી મળતાં જ પોલીસ, ફાયર વિભાગ અને ડિઝાસ્ટર રિલીફ ટીમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Breaking News Maharashtra : પુણેના બાવધનમાં હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, જાણો શું હતું કારણ
Helicopter Crash pune

Follow us on

Helicopter Crash Pune : મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે હેલિકોપ્ટર અકસ્માત સર્જાયો હતો. જેમાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોના મોત થયા છે. આ અકસ્માત પુણેના બાવધન બુદ્રુક ગામમાં થયો હતો. માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રિલીફ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ ઘટના સવારે સાત વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ અકસ્માતનું પ્રાથમિક કારણ ધુમ્મસ હોવાનું કહેવાય છે. જો કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાનું સાચું કારણ તપાસ બાદ જ બહાર આવશે.

આકાશમાં ગાઢ ધુમ્મસ હતું

માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને રાહત ટીમના સભ્યોના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હતી. ખરેખર સવારે આકાશમાં ગાઢ ધુમ્મસ હતું અને હવામાન પણ ખરાબ હતું. આવા સંજોગોમાં હેલિકોપ્ટર પાઈલટ વાસ્તવિક પરિસ્થિતિને સમજી શક્યો ન હતો. આવા સંજોગોમાં હેલિકોપ્ટર ક્રેશ થઈને પહાડોની વચ્ચે ખાડામાં પડી ગયું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-10-2024
ચિયા સીડ્સ ખાવાથી થાય છે હજારો ફાયદા,જાણો
આ ગુજરાતી સિંગર લોકડાયરાથી લઈ સ્ટેજ પ્રોગ્રામમાં ગીતની રમઝટ બોલાવે છે
Yoga for Heart : હૃદયને રાખો હેલ્ધી, રોજ કરો આ 5 યોગાસન
દૂધ બેસીને નહીં પણ ઊભા ઊભા પીવુ જોઈએ, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 01-10-2024

હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત પિંપરી ચિંચવડ બાવધન પાસે થયો હતો. આ હેલિકોપ્ટર અહીં કન્સ્ટ્રક્શન સાઈટ પાસે ખાઈમાં પડી ગયું છે. આ પછી હેલિકોપ્ટરના કાટમાળમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પિંપરી ચિંચવડ પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં કુલ ત્રણ લોકો હતા અને ત્રણેય લોકોના મૃતદેહ કાટમાળ પાસે મળી આવ્યા હતા.

પોલીસ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે

પુણે પોલીસના જણાવ્યા અનુસાર હેરિટેજ એવિએશન કંપનીનું આ અગસ્તા 109 હેલિકોપ્ટર પુણેથી મુંબઈ માટે ઉડ્યું હતું. બે પાયલોટ કેપ્ટન પિલ્લઈ અને કેપ્ટન પરમજીત સિવાય વિમાનમાં એક એન્જિનિયર હતો. મળતી માહિતી મુજબ આ હેલિકોપ્ટર અકસ્માતના 3 મિનિટ પહેલા ઓક્સફર્ડ હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. બુદ્રક ગામ પાસે એક ટેકરી પર અથડાતાં તે દોઢ કિલોમીટરનું અંતર પણ કાપી શક્યું નહોતું. તેનો કાટમાળ ખાડામાં પડેલો જોવા મળ્યો હતો.

Published On - 9:11 am, Wed, 2 October 24

Next Article