BMC Election Results 2026 Breaking News : મુંબઈમાં ઠાકરેનો પાવર બેઝ તૂટી ગયો, હવે પાર્ટી પણ ખતમ થઈ ગઈ ? વાંચો ઉદ્ધવ ઠાકરેને શું મળ્યું ને શું ગુમાવ્યું ?

ભાજપ અને એકનાથ શિંદેના ગઠબંધને મુંબઈ મહાનગરપાલિકામાં વિજયનો પતાકા લહેરાવ્યા છે. બીએમસીની ચૂંટણીના પરિણામ પછી રાજકીય વર્તુળોમાં પૂછવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં ઠાકરેને કેટલું નુકસાન થયું ? તેણે શું મેળવ્યું ?

BMC Election Results 2026 Breaking News : મુંબઈમાં ઠાકરેનો પાવર બેઝ તૂટી ગયો, હવે પાર્ટી પણ ખતમ થઈ ગઈ ? વાંચો ઉદ્ધવ ઠાકરેને શું મળ્યું ને શું ગુમાવ્યું ?
| Edited By: | Updated on: Jan 16, 2026 | 6:16 PM

મહારાષ્ટ્ર રાજ્યની કુલ 29 મહાનગરપાલિકાઓના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકામાં કોણ જીતશે તેના પર બધાનું ધ્યાન હતું. આ ચૂંટણી જીતવા માટે, ચાર પક્ષો – શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથ, એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને મનસે. આ ચારેય રાજકીય પક્ષોએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે સારો એવો પ્રયાસ કર્યો હતો. આ પક્ષોએ ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવી હતી કે ગમે તે થાય, તેઓ સત્તામાં આવે. પરંતુ અહીં હવે ભાજપ અને એકનાથ શિંદેનું મહાગઠબંધન પ્રબળ બળ તરીકે ઉભરી આવ્યું છે. હવે મુંબઈ મહાનગરપાલિકામાં, ઉદ્ધવ ઠાકરે જૂથનો 25 વર્ષ જૂનો પાવર બેઝ તૂટી ગયો છે. શું હવે ઠાકરેની શક્તિ ઓછી થઈ ગઈ છે ? શું મુંબઈ પર ઠાકરેની પકડ નબળી પડી છે? ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં બહાર આવેલા પરિણામોની ચોક્કસ અસર શું છે? ઉપરાંત, આ પરિણામથી કોને અસર થઈ અને મુંબઈમાં ઠાકરેનું સ્થાન શું છે? ચાલો આ બધા પ્રશ્નોના જવાબો શોધીએ.

મુંબઈ મહાનગરપાલિકાનું પરિણામ શું ?

મુંબઈમાં કુલ 277 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી એકનાથ શિંદે અને ભાજપ દ્વારા સંયુક્ત રીતે લડવામાં આવી હતી. જ્યારે તેમની સામે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે હતા. 20 વર્ષ પછી અસ્તિત્વની લડાઈ માટે કહો કે પોતાના સ્વાર્થ માટે ઠાકરે ભાઈઓ, એકસાથે આવ્યા અને મુંબઈની ચૂંટણી મરાઠી માણૂસ, આમચી મુંબઈ, મરાઠી ભાષાના બહાને જીતવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઠાકરે ભાઈઓ સફળ થયા નહીં. અત્યાર સુધીના પરિણામો અનુસાર, ભાજપે 96 બેઠકો જીતી છે. શિંદેની ભાજપને 30 બેઠકો મળી છે. મળીને, આ બંને પક્ષો પાસે 126 બેઠકો છે. એટલે કે, આ બંને પક્ષો બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યા છે. બીજી તરફ, કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીએ 15 બેઠકો જીતી છે. મનસેને 9 બેઠકો મળી છે અને ઉદ્ધવ ઠાકરેને 63 બેઠકો મળી છે. અપક્ષો અને અન્યોએ 11 બેઠકો જીતી છે.

પરિણામનો અર્થ શું છે? શું ઠાકરેની તાકાત ઓછી થઈ છે?

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બળવો કર્યા પછી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઉદ્ધવ ઠાકરે માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. જ્યારે શિંદેએ બળવો કર્યો ત્યારે ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો તેમની સાથે ગયા. એટલું જ નહીં મુંબઈ મહાનગપાલિકાના કોર્પોરેટરો પણ બે ભાગમાં વહેચાઈ ગયા હતા. આ કારણે ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો. મુંબઈના મોટા નેતાઓ પણ આમાં સામેલ હતા. તેથી જ રાજકીય નિષ્ણાતો કહેતા હતા કે, નેતાઓ, મંત્રીઓ અને સ્થાનિક પદાધિકારીઓ પણ શિંદે સાથે ગયા હતા. પરંતુ હાલના પરિણામોએ આ દાવાઓને ખોટા સાબિત કર્યા છે. કારણ કે જ્યારે શિવસેના વિભાજીત ન હતી, ત્યારે આ પાર્ટીએ 2017 માં 84 કોર્પોરેટરો ચૂંટ્યા હતા. હવે, શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ હોવા છતાં, ઉદ્ધવ ઠાકરે જૂથે એકલા હાથે 64 કોર્પોરેટરો જીતાડ્યા છે.

શું ઠાકરેને ફટકો પડ્યો?

એટલે કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, એકલા મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની તાકાત ઓછી થઈ નથી. બીજી તરફ, રાજ ઠાકરે પાસે મુંબઈમાં ગુમાવવા માટે કંઈ નહોતું. તેમના લગભગ 9 કોર્પોરેટરો ચૂંટાયા છે. આનો અર્થ એ છે કે રાજ ઠાકરેને પણ ફાયદો થયો છે. 2017 માં, જ્યારે શિંદે તેમની સાથે ન હતા, ત્યારે ભાજપે 82 કોર્પોરેટરો જીત્યા હતા. આ વખતે, વિજેતા કોર્પોરેટરોની સંખ્યા 96 છે. આનો અર્થ એ થયો કે શિંદે સાથે ભાજપનું જોડાણ હોવાથી ઠાકરે પર ખાસ અસર પડી નથી. જોકે, કોંગ્રેસની બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહીત કુલ 29 મહાનાગરપાલિકાની યોજાયેલ ચૂંટણીના પરિણામ આજે 16 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થઈ રહ્યાં છે. આ અંગેના તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Published On - 6:13 pm, Fri, 16 January 26