મહારાષ્ટ્રમાં (Maharashtra) બે ધારાસભ્યો સાથેની નાની પાર્ટી પ્રહાર સંગઠનના વડા બચ્ચુ કડુએ (Bachchu Kadu) આજે (બુધવાર, 10 ઓગસ્ટ) સીએમ એકનાથ શિંદેને (Eknath Shinde) તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જણાવી દઈએ કે શિંદે જૂથને સમર્થન આપતા 50 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો શિવસેનાના ધારાસભ્ય છે જેઓ ઉદ્ધવ જૂથથી અલગ થઈ ગયા છે અને 10 અપક્ષ અને બચ્ચુ કડુની પાર્ટીના ધારાસભ્યો છે. કેબિનેટ વિસ્તરણમાં શિવસેનાના 9 અને ભાજપના 9 ધારાસભ્યોએ શપથ લીધા છે. એકપણ અપક્ષને તક આપવામાં આવી નથી. આનાથી તેઓ નારાજ છે. સીએમ શિંદેને મળ્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી અને સ્વીકાર્યું કે થોડી નારાજગી છે.
બચ્ચુ કડુએ કહ્યું ‘થોડી નારાજગી છે, પણ એટલી બધી નથી કે હું ગ્રુપ છોડીને બીજે ક્યાંક જતો રહીશ’. તમને જણાવી દઈએ કે સીએમ હજુ સુધી મુંબઈના મલબાર હિલ સ્થિત સીએમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં શિફ્ટ થયા નથી.
બચ્ચુ કડુએ કહ્યું, ‘CM શિંદેએ તેમને મંત્રી પદ આપવાનું વચન આપ્યું હતું. તેથી થોડો રોષ છે. પરંતુ આ રોષ ક્ષણિક છે. તે આગળ જતા ફરી વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. મેં તેમને મંત્રીપદ માટે સમર્થન આપ્યું ન હતું. કેટલાક મુદ્દાઓ પર સમર્થન આપ્યું હતું જો તે મુદ્દે કામ ન જોવા મળે તો વિચારવું પડશે. અમને મંત્રીપદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું એટલે અમે માંગ કરી છે. જો આશ્વાસન ન મળ્યું હોત તો અમે મંત્રીપદની માંગણી ન કરી હોત. આ રાજકારણ છે. અહીં હંમેશા બે અને બે ચાર નથી હોતા પણ ક્યારેક શૂન્ય પણ હોય છે.
કેબિનેટ વિસ્તરણ બાદ મીડિયા સાથે વાત કરતા બચ્ચુ કડુએ કહ્યું, ‘હું નારાજ છું, આ મુદ્દો નથી. દરેક વ્યક્તિ વિચારે છે કે તે મંત્રી બને. મને મંત્રીપદ ના આપવામાં આવ્યું, તેનો અર્થ એવો નથી કે તે હંમેશા માટે થયું, તે વાત નથી. થોડા દિવસ મોડું થયું, બસ… સાથે રહેવુ છે તો એક બીજાને સમજવા પડશે.’ બચ્ચુ કાડુની આ નારાજગી હવે ચર્ચાનો વિષય બની છે.