AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો, થાણે બાદ હવે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન

નવી મુંબઈમાં શિવસેનાના (Shivsena) 32 કોર્પોરેટરો એકનાથ શિંદેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. કોર્પોરેટરોએ કહ્યું, "અમે એકનાથ શિંદે સાથે રહીશું. એકનાથ શિંદેને એક નાના કાર્યકર પણ ફોન કરે છે, તો તેઓ જવાબ આપે છે, અમને તે ગમે છે."

ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો, થાણે બાદ હવે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 11:07 AM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra Updates) થાણે નગરપાલિકા બાદ નવી મુંબઈમાં (Navi Mumbai) શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. નવી મુંબઈમાં 32 કોર્પોરેટરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે થાણેના 66 કોર્પોરેટર દ્વારા એકનાથ શિંદેને સમર્થન જાહેર કરવામાં આવ્યુ હતુ અને આમ શિંદે જુથ ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકાઓ આપી રહ્યું છે. છેલ્લા થોડા દીવસોમાં મહારાષ્ટ્રમાં ચાલેલા રાજકીય સંકટ બાદ શિવસેનાના (Shiv Sena) નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતાની સત્તા ગુમાવવી પડી હતી. ઉદ્ધવના સ્થાને ભાજપના સાથથી એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા છે. ઉદ્ધવ ઠાકરે ઉપર હવે તેમના પક્ષ શિવસેનાને બચાવવા માટે ઘણું દબાણ છે કારણ કે શિંદે જૂથ સતત પક્ષ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.

નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરો એકનાથ શિંદેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. કોર્પોરેટરોએ કહ્યું, “અમે એકનાથ શિંદે સાથે રહીશું. એકનાથ શિંદેને એક નાના કાર્યકર પણ ફોન કરે છે, તો તેઓ જવાબ આપે છે, અમને તે ગમે છે.”

 સાંસદોને લઈને શિવસેના સતર્ક

આ સાથે જ સાંસદોને શિંદે જૂથમાં સામેલ થવાથી રોકવા માટે શિવસેના સાવધ બની ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. શિવસેના સંસદીય દળના નેતા સંજય રાઉતે આ માહિતી આપી છે. તેમજ સંજય રાઉતે કહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ રાવ અડસુલે પણ શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. તે હવે એકનાથ શિંદે જૂથમાં જોડાઈ શકે છે.

સંજય રાઉતે કહ્યું- અડસુલ પર EDનું દબાણ

આનંદ રાવ અડસુલના પાર્ટીમાંથી રાજીનામું આપવા પર સંજય રાઉતે કહ્યું કે, મને ખબર પડી છે કે તેમની વિરુદ્ધ ED તપાસ ચાલી રહી છે. ગત વર્ષે તેમના નિવાસસ્થાને EDના દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા હતા. આ કારણે તેમના પર શિવસેનામાંથી રાજીનામું આપવાનું દબાણ થઈ શકે છે. આવું દબાણ ઘણા નેતાઓ પર છે. આનંદ રાવ અડસુલ એકનાથ શિંદે જુથમાં જોડાય તેવી શક્યતા છે.

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">