ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો, થાણે બાદ હવે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન

નવી મુંબઈમાં શિવસેનાના (Shivsena) 32 કોર્પોરેટરો એકનાથ શિંદેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. કોર્પોરેટરોએ કહ્યું, "અમે એકનાથ શિંદે સાથે રહીશું. એકનાથ શિંદેને એક નાના કાર્યકર પણ ફોન કરે છે, તો તેઓ જવાબ આપે છે, અમને તે ગમે છે."

ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો, થાણે બાદ હવે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 11:07 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra Updates) થાણે નગરપાલિકા બાદ નવી મુંબઈમાં (Navi Mumbai) શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. નવી મુંબઈમાં 32 કોર્પોરેટરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે થાણેના 66 કોર્પોરેટર દ્વારા એકનાથ શિંદેને સમર્થન જાહેર કરવામાં આવ્યુ હતુ અને આમ શિંદે જુથ ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકાઓ આપી રહ્યું છે. છેલ્લા થોડા દીવસોમાં મહારાષ્ટ્રમાં ચાલેલા રાજકીય સંકટ બાદ શિવસેનાના (Shiv Sena) નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતાની સત્તા ગુમાવવી પડી હતી. ઉદ્ધવના સ્થાને ભાજપના સાથથી એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા છે. ઉદ્ધવ ઠાકરે ઉપર હવે તેમના પક્ષ શિવસેનાને બચાવવા માટે ઘણું દબાણ છે કારણ કે શિંદે જૂથ સતત પક્ષ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.

નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટરો એકનાથ શિંદેને મળ્યા અને તેમને સમર્થન આપ્યું. કોર્પોરેટરોએ કહ્યું, “અમે એકનાથ શિંદે સાથે રહીશું. એકનાથ શિંદેને એક નાના કાર્યકર પણ ફોન કરે છે, તો તેઓ જવાબ આપે છે, અમને તે ગમે છે.”

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 સાંસદોને લઈને શિવસેના સતર્ક

આ સાથે જ સાંસદોને શિંદે જૂથમાં સામેલ થવાથી રોકવા માટે શિવસેના સાવધ બની ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. શિવસેના સંસદીય દળના નેતા સંજય રાઉતે આ માહિતી આપી છે. તેમજ સંજય રાઉતે કહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ રાવ અડસુલે પણ શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. તે હવે એકનાથ શિંદે જૂથમાં જોડાઈ શકે છે.

સંજય રાઉતે કહ્યું- અડસુલ પર EDનું દબાણ

આનંદ રાવ અડસુલના પાર્ટીમાંથી રાજીનામું આપવા પર સંજય રાઉતે કહ્યું કે, મને ખબર પડી છે કે તેમની વિરુદ્ધ ED તપાસ ચાલી રહી છે. ગત વર્ષે તેમના નિવાસસ્થાને EDના દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા હતા. આ કારણે તેમના પર શિવસેનામાંથી રાજીનામું આપવાનું દબાણ થઈ શકે છે. આવું દબાણ ઘણા નેતાઓ પર છે. આનંદ રાવ અડસુલ એકનાથ શિંદે જુથમાં જોડાય તેવી શક્યતા છે.

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">