મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવનાર શિવસેનાને (Shivsena) વધુ એક મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા અને મંત્રી રહી ચૂકેલા રામદાસ કદમ ટૂંક સમયમાં પાર્ટીમાંથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામદાસ કદમ (Ramdas kadam) થોડીવારમાં પોતાનું રાજીનામું ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી મોકલી આપશે. તેઓ શિવસેનાના નેતા પદ પરથી રાજીનામું આપશે. આ પહેલા કદમના પુત્ર અને ધારાસભ્ય યોગેશ ગુવાહાટીમાં જ શિંદે (Eknath Shinde) કેમ્પમાં જોડાયા હતા.
રામદાસ કદમ મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેમને ફડણવીસ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. રામદાસ કદમના પુત્ર પણ યોગેશ દાપોલીથી ધારાસભ્ય છે. તેઓ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોમાં સામેલ હતા જેઓ એકનાથ શિંદેને સમર્થન આપીને ગુવાહાટી પહોંચ્યા હતા.
શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે થોડા દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં અનિલ પરબ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. રામદાસ કદમે એમ પણ કહ્યું હતું કે અનિલ પરબ શિવસેનાને ખતમ કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ્યારે એકનાથ શિંદેએ રાજ્યમાં બળવો કર્યો અને ઠાકરેની શિવસેનામાંથી એક મોટુ જુથ શિંદે જુથમાં ભળી ગયુ અને નવી સરકારનો ઉદય થયો. તેમાં શિંદે સાથેના જુથમા રામદાસ કદમના પુત્ર યોગેશ કદમ પણ સામેલ હતા. યોગેશ કદમે પમ અનિલ પરબ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા. યોગેશ કદમે સીધો આરોપ લગાવ્યો હતો કે અનિલ પરબ એનસીપી સાથે હાથ મિલાવીને શિવસેનાને ખતમ કરી રહ્યા છે.
21 જુનથી શરૂ થયેલા આ રાજકીય નાટકમાં એક પછી એક વળાંકો આવતા ગયા અને આખરે મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ. ત્યારબાદ શિવસેનાના બે ભાગલા પડી ગયા છે. કાર્યકરો, કોર્પોરેટરો તેમજ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના છોડીને શિંદે જૂથમાં જોડાય રહ્યા છે. આ ઘટનાક્રમમા વધુ એક ઘટના ઉમેરાય છે. આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના યુવા પાંખના નેતાઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થનમાં સામે આવ્યા છે. આ પહેલા મુંબઈ મેટ્રોપોલિટન એરિયાની મ્યુનિસિપલ કોર્પોરેશનોના મોટી સંખ્યામાં કોર્પોરેટરોએ એકનાથ શિંદેને ટેકો જાહેર કર્યો હતો.