AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાના નામ બાદ હવે મહારાષ્ટ્રમાં વ્હીપ પર ઘમાસાણ… એકનાથ શિંદેએ કહ્યું- બે તૃતીયાંશ ધારાસભ્યો મારી સાથે, અન્ય કોઈ ન આપી શકે આદેશ

એકનાથ શિંદેએ (Eknath Shinde) આ વ્હીપ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. એકનાથ શિંદેનું કહેવું છે કે તેમની પાસે શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યોની બહુમતી છે. તેથી તેઓ વ્હીપનું પાલન કરવા બંધાયેલા નથી.

શિવસેનાના નામ બાદ હવે મહારાષ્ટ્રમાં વ્હીપ પર ઘમાસાણ... એકનાથ શિંદેએ કહ્યું- બે તૃતીયાંશ ધારાસભ્યો મારી સાથે, અન્ય કોઈ ન આપી શકે આદેશ
Uddhav Thackeray & Cm Eknath Shinde (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 11:14 PM
Share

મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરની ચૂંટણી (Maharashtra Assembly Speaker Election) પહેલા ફરી એકવાર શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે જંગ છેડાઈ ગયો છે. શિવસેના દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યા છે અને શિવસેનાના તમામ ધારાસભ્યોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા અને મહા વિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને મત આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ (Eknath Shinde) આ વ્હીપ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. એકનાથ શિંદેનું કહેવું છે કે તેમની પાસે શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યોની બહુમતી છે. તેથી તેઓ વ્હીપનું પાલન કરવા બંધાયેલા નથી.

પરંતુ શરદ પવારે એમ કહીને પેચ ફસાવી દીધો છે કે તમામ ધારાસભ્યોએ પાર્ટીના વ્હીપનું પાલન કરવું જરૂરી છે. જો એકનાથ શિંદે જૂથ હજુ પણ પોતાને શિવસૈનિક માને છે તો તેઓએ પોતાના પક્ષનો વ્હીપ માનવો પડશે. આવતીકાલે (3 જુલાઈ, રવિવાર) વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપના રાહુલ નાર્વેકર અને મહા વિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવાર વિરાજન સાલ્વી વચ્ચે મુકાબલો છે. રાજન સાલ્વી રાજાપુરથી શિવસેનાના ધારાસભ્ય છે અને રાહુલ નાર્વેકર મુંબઈના ધારાસભ્ય છે. એકનાથ શિંદેના આ આક્રમક વલણને જોતા એવું લાગે છે કે 3જી જુલાઈએ યોજાનારી સ્પીકરની ચૂંટણી 10મી જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અને 20મી જૂને વિધાન પરિષદની ચૂંટણી જેટલી જ રસપ્રદ બનવાની છે.

એકનાથ શિંદે આક્રમક બન્યા, સ્પીકરની ચૂંટણી રસપ્રદ બની

એકનાથ શિંદે જૂથની દલીલ છે કે 55 ધારાસભ્યોમાંથી 39 શિવસેના ધારાસભ્યો શિંદે કેમ્પમાં છે. તેથી, ઉદ્ધવ ઠાકરેની છાવણીને વ્હીપ જાહેર કરવાનો અધિકાર નથી. શિવસેનાના નેતા સુનીલ પ્રભુએ પોતાના અધિકારથી આગળ વધીને પોતાની શક્તિનો ઉપયોગ કર્યો છે. એકનાથ શિંદેનું સમર્થન કરતા ધારાસભ્યોને આ કોઈપણ રીતે લાગુ પડતું નથી. તેઓ તેને સ્વીકારવા માટે બંધાયેલા નથી.

‘ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકર સફળ થશે, બહુમતી અમારી સાથે છે’

એકનાથ શિંદેએ કહ્યું, ‘અમે અમારી બહુમતી સાબિત કરવાના છીએ. માત્ર ઔપચારિકતા બાકી છે. અમારી પાસે 120 અને 50 એટલે કે 170 ધારાસભ્યો છે. જીત આપણી જ થશે. જીત રાહુલ નાર્વેકરની થશે. તેઓ ગોવાથી પોતાના સમર્થકો સાથે મુંબઈ જવા રવાના થતા સમયે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે પણ કહ્યું છે કે જ્યારે બે તૃતીયાંશ ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે છે, તો શિંદે સેના જ વાસ્તવિક શિવસેના છે. બીજું કોઈ અમને આદેશ આપી શકે નહીં.

Follow Us
હુમલાનાં વિરોધમાં તબીબોએ કામગીરીનો બહિષ્કાર કર્યો
હુમલાનાં વિરોધમાં તબીબોએ કામગીરીનો બહિષ્કાર કર્યો
ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM વડોદરા આવશે
ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM વડોદરા આવશે
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
g clip-path="url(#clip0_868_265)">