નવાબ મલિકના આરોપ બાદ સમીર વાનખેડે પહોંચ્યા દિલ્હી, SC કમિશનના અધ્યક્ષ સમક્ષ રજુ કર્યા દસ્તાવેજો

|

Nov 01, 2021 | 4:13 PM

સમીર વાનખેડેએ કહ્યું, પંચ દ્વારા મારી પાસે જે દસ્તાવેજો માગવામાં આવ્યા હતા, મેં તે રજૂ કર્યા છે. મારી ફરિયાદની તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આયોગના અધ્યક્ષ તેનો જવાબ આપશે.

નવાબ મલિકના આરોપ બાદ સમીર વાનખેડે પહોંચ્યા દિલ્હી, SC કમિશનના અધ્યક્ષ સમક્ષ રજુ કર્યા દસ્તાવેજો
Sameer Wankhede (File Photo)

Follow us on

Sameer Wankhede Case : એનસીપીના નેતા નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે નેશનલ કમિશન ફોર શેડ્યૂલ કાસ્ટ (National Commission for Scheduled Castes)ના અધ્યક્ષ સુભાષ રામનાથ પારધી સમક્ષ દસ્તાવેજો રજુ કર્યા હતા.

દિલ્હીમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ સાથેની આ બેઠક બાદ સમીર વાનખેડેએ કહ્યું કે, આયોગ દ્વારા મારી પાસેથી જે પણ તથ્યો અને દસ્તાવેજો માગવામાં આવ્યા હતા, મેં તે રજૂ કર્યા છે. મારી ફરિયાદની તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ તેનો જવાબ આપશે. તમને જણાવી દઈએ કે, સમીર વાનખેડેએ (Sameer Wankhede) તેના છૂટાછેડા, લગ્નનું પ્રમાણપત્ર, એસસી પ્રમાણપત્ર અને તેની પ્રથમ પત્નીના બાળકના જન્મ પ્રમાણપત્ર સાથે સંબંધિત દસ્તાવેજો એસસી કમિશન સમક્ષ રજૂ કર્યા હતા.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

NCSC સમીર વાનખેડેને ક્લીનચીટ આપી શકે નહીં : નવાબ મલિક

નવાબ મલિકે આજે ફરી સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો હતો કે, તે મુસ્લિમ છે અને તેણે નકલી જાતિ પ્રમાણપત્રના (Caste Certificate) આધારે અનામતનો લાભ લઈને નોકરી મેળવી છે. નવાબ મલિકે NCSC ના ઉપાધ્યક્ષ અરુણ હલદર અને વાનખેડે વચ્ચેની બેઠક સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, અરુણ હલદર ભાજપના નેતા છે. પરંતુ તેઓ વૈધાનિક પદ પર બેઠા છે. તેઓએ તેમના પદની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. તેમને ક્લીનચીટ આપવાનો અધિકાર નથી. હું તેમના વિરુધ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરીશ.

તમને જણાવી દઈએ કે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ (NCSC) ના ઉપાધ્યક્ષ અરુણ હલદર (Arun Haldar) સમીર વાનખેડેના ઘરે ગયા હતા અને તેમને મળ્યા હતા. તેણે કહ્યું હતું કે, મેં NCB અધિકારી સમીર વાનખેડેના કાગળો જોયા છે. વાનખેડેએ ક્યારેય ધર્મ બદલ્યો હોય તેવું સામે આવ્યુ નથી.

 

આ પણ વાંચો: સમીર વાનખેડેને લઈને રાજકીય ધમાસાણ, NCP નેતા નવાબ મલિકે ભાજપ નેતા અરુણ હલદર વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની કરી જાહેરાત

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : આખરે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, હાઈકોર્ટ દ્વારા કોઈ રાહત ન મળતા દેશમુખની વધી મુશ્કેલી

Next Article