
ભારતીય રેલવેએ IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ મારફતે ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કેટલાક ખાસ યુઝર્સ માટે ટિકિટ બુક કરવા આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આવો જાણીએ IRCTCના નવા નિયમ વિશે વિગતવાર.
રેલવેએ જાહેર કર્યું છે કે હવે સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટ્રેન ટિકિટ બુક કરવા માટે આધાર જરૂરી રહેશે. આ નિર્ણયનો હેતુ એ છે કે, ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી અટકાવવી અને ભારે માગવાળા સમયમાં ટિકિટ સાચા મુસાફરો સુધી પહોંચાડવી.
આ બે કલાક એવો સમય હોય છે જ્યારે લોકપ્રિય ટ્રેનોમાં સીટ માટે ભારે માગ રહે છે. ઘણા લોકો ઘણા અકાઉન્ટ બનાવી કે ઓટોમેટેડ સોફ્ટવેરથી ટિકિટ બુકિંગમાં ગડબડ કરતા હતા. આને રોકવા માટે IRCTCએ આ સમયગાળો માત્ર આધાર-વેરિફાઈડ યુઝર્સ માટે રાખ્યો છે. જે લોકોનું આધાર લિંક નથી, તેઓ સવારના 8 થી 10 સિવાયના સમયમાં ટિકિટ બુક કરી શકશે. આ નવો નિયમ 28 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.
આ પહેલાં પણ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ફરજિયાત બનાવ્યું હતું. 1 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ માટે આધાર જરૂરી છે અને 15 જુલાઈ 2025થી ઑનલાઇન, એજન્ટ કે PRS કાઉન્ટર – તમામ માધ્યમમાં OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
જો તમે હજી સુધી આધાર વેરિફાઈ કર્યું નથી, તો આ પ્રક્રિયા ખૂબ સરળ છે અને માત્ર થોડા જ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે:
આ નવો નિયમ માત્ર ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે લાગુ પડે છે. PRS કાઉન્ટર પર ટિકિટ લેવા માટેના નિયમોમાં કોઈ ફેરફાર નથી. હવે જે લોકો સવારના સમયગાળામાં ટિકિટ બુક કરવા માંગે છે, તેમને પહેલેથી આધાર વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે, જેથી બુકિંગ સમયે ટ્રાન્ઝેક્શન ફેઇલ જેવી સમસ્યા ન આવે.
રેલવેનો આ ફેરફાર ટિકિટ બુકિંગને વધુ સુરક્ષિત, પારદર્શક અને સાચા મુસાફરો માટે સરળ બનાવવા માટેના પ્રયાસનો એક ભાગ છે.