
ક્રિકેટના દિગ્ગજ Sachin Tendulkar ની પુત્રી Sara Tendulkar સામાન્ય રીતે શાંત અને સૌમ્ય સ્વભાવ માટે ઓળખાય છે. પરંતુ આ વખતે તે પાપારાઝીના વર્તનથી નારાજ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ બાદ સારાએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
તાજેતરમાં સેલિબ્રિટીઓના ખાનગી જીવનમાં પાપારાઝીની વધતી દખલ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને અભિનેત્રીઓ અને મહિલા સેલિબ્રિટીઓના વીડિયો પર અપમાનજનક અથવા બોડી શેમિંગ પ્રકારના કેપ્શન મૂકાતા હોવાના મામલા વધી રહ્યા છે. અગાઉ પણ અનેક અભિનેત્રીઓ આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી ચૂકી છે.
આ દરમિયાન એક પાપારાઝી એકાઉન્ટે ઇન્સ્ટાગ્રામ પર સારા તેંડુલકર અને તેની ભાભી સાનિયા ચાંડોકનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્શનને ઘણા લોકોએ અપમાનજનક અને અયોગ્ય ગણાવ્યું હતું. આ પોસ્ટ જોઈને સારા ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સીધું જ તે એકાઉન્ટને ટેગ કરીને કડક પ્રતિક્રિયા આપી.
સારાએ પોતાની સ્ટોરીમાં લખ્યું, “તમે ખરેખર ગંદા છો. આ પત્રકારત્વ નથી. અમને શાંતિથી જીવવા દો.” તેણે વધુમાં કહ્યું કે માત્ર પોસ્ટ ડિલીટ કરી દેવાથી માનસિકતા બદલાતી નથી.
સારાની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેનો સમર્થન કર્યું હતું. ઘણા યુઝર્સે કહ્યું કે સેલિબ્રિટીઓની પણ વ્યક્તિગત પ્રાઈવસી હોય છે અને તેનું સન્માન થવો જોઈએ.
Sara Tendulkar સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તેના ફેશન, લાઇફસ્ટાઇલ અને ગ્લેમરસ ફોટોઝને લાખો લોકો પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના મોટા પ્રમાણમાં ફોલોઅર્સ છે અને તેની દરેક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ જાય છે.
આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીએ પાપારાઝીના વર્તન સામે અવાજ ઉઠાવ્યો હોય. અગાઉ Karisma Kapoor, Janhvi Kapoor અને Jaya Bachchan પણ પાપારાઝીના અતિરેક પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
તાજેતરમાં Salman Khan પણ પાપારાઝી સાથેના વર્તનને લઈને ચર્ચામાં રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે કેટલાક પાપારાઝીને જાહેરમાં ચેતવણી પણ આપી હતી, જેના કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો.
‘Love UUU’… ઈમોશનલ સારા તેંડુલકરે સોશિયલ મીડિયા કોના માટે લખ્યું ‘લવ યુ’?