AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબૂતરો સૌથી વધુ શેનાથી ડરે છે? ભગાડવાનો આ રામબાણ તરીકો જાણી લો- મળી જશે ઝંઝટથી છુટકારો

ઘરમાં કબૂતરોને આવતા કેવી રીતે રોકવા? કબૂતરોને ભગાડવા માટે કોઈ જટિલ ઉપાયની જરૂર નથી. બસ થોડુ દિમાગ, થોડી સફાઈ અને કોઈ દેસી જુગાડ, તમને કબૂતરોની ઝંઝટમાંથી મુક્તિ કરશે અને તમારા મનને પરમ શાંતિની અનુભૂતિ થશે.

કબૂતરો સૌથી વધુ શેનાથી ડરે છે? ભગાડવાનો આ રામબાણ તરીકો જાણી લો- મળી જશે ઝંઝટથી છુટકારો
| Updated on: Dec 02, 2025 | 6:55 PM
Share

જો તમે શહેરમાં રહો છો તો કબૂતરો સાથે રોજ મુલાકાત થવી ઘણી સામાન્ય છે. સવારે તમારી બારી પર ગુટર ઘુ અને છત પર જુંડ બનાવીને બેસતા કબૂતરો મોટાભાગના લોકો મટે ઝંઝટ બની જાય છએ. દિવાલો પર દાગ, છત પર ગંદકી, અને દરેક જગ્યાએ પીંછા ખેરતા કબૂતરો એ જો એકવાર ડેરો જમાવી લીધો તો ચારેતરફ બસ ગંદકી જ નજરે પડે છે. કબૂતરોને વારંવાર ભગાડવા છતા તેઓ ત્યાં જ આવે છે. જો કે તેમને ભગાડવા માટે તમામ પ્રકારના ઉપાય પણ કરવામાં આવે છે. તેમ છતા તેમને ભગાડવા આસાન નથી. પરંતુ ચિંતા ન કરો, કેટલાક એવી દેશી અને અસરદાર ઉપાય છે જેનાથી તેઓ તમારી છતથી દૂર રહેશે.

કબૂતરો શેનાથી સૌથી વધુ ડરે છે?

કબૂતરો બહુ સમજદાર નથી હોતા પરંતુ સતર્ક બહુ હોય છે. તેમને તેજ અવાજ કે ચમકીલી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. આથી જો તમારી છત કે બાલકનીમાં જુની સીડી, એલ્યુમિનિયમ ફોઈલ કે રિફ્લેક્ટિવ ટેપ ટિંગાડી દેશો તો તેઓ ત્યાં બેસવાની હિંમત નહીં કરે. હવામાં હાલતીચાલતી રોશનીથી તેઓ અંતર જાળવે છે.

આ ઉપરાંત બાઝ કે ઘુવડ જેવા પ્લાસ્ટિકના પક્ષીનું સ્ટેચ્યુ પણ ઘણુ અસરદાર સાબિત થઈ શકે. તેને જોઈને કબૂતરોને લાગે છે કે કોઈ શિકારી આસપાસ મંડરાઈ રહ્યો છે અને તેઓ તુરંત એ જગ્યા છોડી દે છે.

કઈ ગંધથી કબૂતરો ભાગે છે?

કબૂતરોને તીખી અને તેજ ગંધથી સખ્ત નફરત હોય છે. લીંબુ, વિનેગર, કપૂર, લસણ, કે મરચાંની સુગંધ તેમને બિલકુલ ગમતી નથી. તમે રુ ના ટૂકડા પર લીંબુનો રસ કે વિનેગરના ટીપાં નાખી બારીન આસપાસ મુકી દો, આ નાનકડી યુક્તિ પણ બહુ કામ કરશે.

આજકાલ માર્કેટમાં બર્ડ રિપેલેંટ સ્પ્રે પણ આવે છે. જેમા આ જ પ્રકારની સ્મેલનો ઉપયોગ કરવામાં આવી છે. તેનાથી કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કબૂતર જાતે જ ઉડીને જગ્યા છોડી દેશે. તેનાથી ન માત્ર કબૂતરોથી છુટકારો મળશે પરંતુ તમારી બાલકની પણ ગંદી નહીં થાય.

શું કબૂતરો ઘઉં ખાય છે?

કબૂતરોને ઘઉં, ચણા, મકાઈ જેવા અનાજ બહુ પસંદ છે. જો તમે નથી ઈચ્છતા કે તે રોજ તમારી છત પર આવે તો તમે તેને દાણા નાખવાનું બંધ કરો અને જો તમારે તેને દાણા નાખવા જ હોય તો કોઈ એક ચોક્કસ જગ્યાએ જ નાખો. એવી જગ્યા પસંદ કરો કે જ્યાં કબૂતરો આવીને બેસે તો પણ તમને કોઈ નુકસાન ન થાય.

કબૂતરોને ભગાડવા માટે કોઈ દવા છે?

કબૂતરોને ભગાડવા માટે અનેક દવાઓ આવે છે.જેને બાલકનમાં રાખતા જ એકપણ કબૂતર નહીં આવે. પિજન રિપલેન્ટ સૌથી સારુ છે. જેનો ઉપયોગ તેમને ભગાડવામાં કરી શકાય છે.

Diclaimer: આ સામગ્રી, ફક્ત સામાન્ય જાણકારી પર આધારીત છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.

જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">