AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબૂતરો સૌથી વધુ શેનાથી ડરે છે? ભગાડવાનો આ રામબાણ તરીકો જાણી લો- મળી જશે ઝંઝટથી છુટકારો

ઘરમાં કબૂતરોને આવતા કેવી રીતે રોકવા? કબૂતરોને ભગાડવા માટે કોઈ જટિલ ઉપાયની જરૂર નથી. બસ થોડુ દિમાગ, થોડી સફાઈ અને કોઈ દેસી જુગાડ, તમને કબૂતરોની ઝંઝટમાંથી મુક્તિ કરશે અને તમારા મનને પરમ શાંતિની અનુભૂતિ થશે.

કબૂતરો સૌથી વધુ શેનાથી ડરે છે? ભગાડવાનો આ રામબાણ તરીકો જાણી લો- મળી જશે ઝંઝટથી છુટકારો
| Updated on: Dec 02, 2025 | 6:55 PM
Share

જો તમે શહેરમાં રહો છો તો કબૂતરો સાથે રોજ મુલાકાત થવી ઘણી સામાન્ય છે. સવારે તમારી બારી પર ગુટર ઘુ અને છત પર જુંડ બનાવીને બેસતા કબૂતરો મોટાભાગના લોકો મટે ઝંઝટ બની જાય છએ. દિવાલો પર દાગ, છત પર ગંદકી, અને દરેક જગ્યાએ પીંછા ખેરતા કબૂતરો એ જો એકવાર ડેરો જમાવી લીધો તો ચારેતરફ બસ ગંદકી જ નજરે પડે છે. કબૂતરોને વારંવાર ભગાડવા છતા તેઓ ત્યાં જ આવે છે. જો કે તેમને ભગાડવા માટે તમામ પ્રકારના ઉપાય પણ કરવામાં આવે છે. તેમ છતા તેમને ભગાડવા આસાન નથી. પરંતુ ચિંતા ન કરો, કેટલાક એવી દેશી અને અસરદાર ઉપાય છે જેનાથી તેઓ તમારી છતથી દૂર રહેશે.

કબૂતરો શેનાથી સૌથી વધુ ડરે છે?

કબૂતરો બહુ સમજદાર નથી હોતા પરંતુ સતર્ક બહુ હોય છે. તેમને તેજ અવાજ કે ચમકીલી વસ્તુઓ બિલકુલ પસંદ નથી. આથી જો તમારી છત કે બાલકનીમાં જુની સીડી, એલ્યુમિનિયમ ફોઈલ કે રિફ્લેક્ટિવ ટેપ ટિંગાડી દેશો તો તેઓ ત્યાં બેસવાની હિંમત નહીં કરે. હવામાં હાલતીચાલતી રોશનીથી તેઓ અંતર જાળવે છે.

આ ઉપરાંત બાઝ કે ઘુવડ જેવા પ્લાસ્ટિકના પક્ષીનું સ્ટેચ્યુ પણ ઘણુ અસરદાર સાબિત થઈ શકે. તેને જોઈને કબૂતરોને લાગે છે કે કોઈ શિકારી આસપાસ મંડરાઈ રહ્યો છે અને તેઓ તુરંત એ જગ્યા છોડી દે છે.

કઈ ગંધથી કબૂતરો ભાગે છે?

કબૂતરોને તીખી અને તેજ ગંધથી સખ્ત નફરત હોય છે. લીંબુ, વિનેગર, કપૂર, લસણ, કે મરચાંની સુગંધ તેમને બિલકુલ ગમતી નથી. તમે રુ ના ટૂકડા પર લીંબુનો રસ કે વિનેગરના ટીપાં નાખી બારીન આસપાસ મુકી દો, આ નાનકડી યુક્તિ પણ બહુ કામ કરશે.

આજકાલ માર્કેટમાં બર્ડ રિપેલેંટ સ્પ્રે પણ આવે છે. જેમા આ જ પ્રકારની સ્મેલનો ઉપયોગ કરવામાં આવી છે. તેનાથી કોઈ નુકસાન પહોંચાડ્યા વિના કબૂતર જાતે જ ઉડીને જગ્યા છોડી દેશે. તેનાથી ન માત્ર કબૂતરોથી છુટકારો મળશે પરંતુ તમારી બાલકની પણ ગંદી નહીં થાય.

શું કબૂતરો ઘઉં ખાય છે?

કબૂતરોને ઘઉં, ચણા, મકાઈ જેવા અનાજ બહુ પસંદ છે. જો તમે નથી ઈચ્છતા કે તે રોજ તમારી છત પર આવે તો તમે તેને દાણા નાખવાનું બંધ કરો અને જો તમારે તેને દાણા નાખવા જ હોય તો કોઈ એક ચોક્કસ જગ્યાએ જ નાખો. એવી જગ્યા પસંદ કરો કે જ્યાં કબૂતરો આવીને બેસે તો પણ તમને કોઈ નુકસાન ન થાય.

કબૂતરોને ભગાડવા માટે કોઈ દવા છે?

કબૂતરોને ભગાડવા માટે અનેક દવાઓ આવે છે.જેને બાલકનમાં રાખતા જ એકપણ કબૂતર નહીં આવે. પિજન રિપલેન્ટ સૌથી સારુ છે. જેનો ઉપયોગ તેમને ભગાડવામાં કરી શકાય છે.

Diclaimer: આ સામગ્રી, ફક્ત સામાન્ય જાણકારી પર આધારીત છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.

જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">