Parenting Tips : જો તમારા બાળકનું ધ્યાન કોઈ કામમાં રહેતું નથી તો માનસિક બીમારી હોય શકે છે

|

Mar 15, 2022 | 8:15 AM

બાળકને આ બધી સમસ્યાઓ હોય અને તેના ઘરમાં તણાવનું વાતાવરણ હોય તો આ રોગ ખૂબ જ વધવા લાગે છે. જેમાં બાળકોની અંદર ઘણા ગંભીર લક્ષણો પણ આવવા લાગે છે. ADHD માટે કોઈ નિર્ધારિત સારવાર નથી. બાળકોનું કાઉન્સેલિંગ કરીને અને વિવિધ માધ્યમો દ્વારા લક્ષણોને દૂર કરીને આ રોગને સુધારી શકાય છે.

Parenting Tips : જો તમારા બાળકનું ધ્યાન કોઈ કામમાં રહેતું નથી તો માનસિક બીમારી હોય શકે છે
If your child's attention is not focused on any work, then there may be mental illness(Symbolic Image )

Follow us on

જો તમારું બાળક(Child ) કોઈપણ કામ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ એક માનસિક(Mental ) સમસ્યાની નિશાની છે, જેને તબીબી ભાષામાં એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) કહેવાય છે. આ રોગને કારણે બાળકના મગજનો વિકાસ અન્ય સામાન્ય બાળકોની સરખામણીમાં યોગ્ય રીતે થઈ શકતો નથી.

આ કારણે તે કોઈપણ કામ યોગ્ય રીતે કરી શકતો નથી. પ્રારંભિક તબક્કામાં, માતાપિતા બાળકોમાં આ સમસ્યાને અવગણે છે. જેના કારણે પાછળથી આ સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તબીબોના મતે બાળપણમાં મગજની કોઈપણ ઈજા, આનુવંશિક કારણો અને ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું મગજ વિકસિત ન થાય તો તે આ રોગનો ભોગ બની શકે છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અનુસાર, ADHDની સમસ્યા મોટાભાગે પ્રી-સ્કૂલ બાળકોમાં જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં, આ રોગ કિશોરાવસ્થા અને પુખ્ત અવસ્થામાં પણ થઈ શકે છે. સિનિયર સાઇકિયાટ્રી સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજકુમારના જણાવ્યા અનુસાર બાળકોમાં ADHDના લક્ષણો શરૂઆતમાં જ જોવા મળે છે. આ રોગમાં બાળક પોતાનામાં ખોવાયેલ રહે છે. તે કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. એ જ ભૂલવારંવાર કરે છે. બાળક કાં તો બહુ બોલે છે અથવા ઘણીવાર મૌન રહે છે. આ બાળકો અન્ય કોઈ બાળક સાથે સરળતાથી રહી શકતા નથી. ક્યારેક તેઓ અચાનક ગુસ્સે થઈ શકે છે. આવા બાળકોને કંઈપણ યાદ રાખવામાં તકલીફ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો બાળકને આ બધી સમસ્યાઓ હોય અને તેના ઘરમાં તણાવનું વાતાવરણ હોય તો આ રોગ ખૂબ જ વધવા લાગે છે. જેમાં બાળકોની અંદર ઘણા ગંભીર લક્ષણો પણ આવવા લાગે છે. ADHD માટે કોઈ નિર્ધારિત સારવાર નથી. બાળકોનું કાઉન્સેલિંગ કરીને અને વિવિધ માધ્યમો દ્વારા લક્ષણોને દૂર કરીને આ રોગને સુધારી શકાય છે. આ રોગથી પીડિત બાળકોની સારવાર પણ દવાઓ દ્વારા કરવામાં આવે છે.

  1. આ બાબતો ધ્યાનમાં રાખો
  2. બાળકોને બહાર લઈ જાઓ
  3. તેમને ચા અને કોફીથી દૂર રાખો
  4. ખોરાકમાં પ્રોટીન અને વિટામિન્સ આપો
  5. બાળકો પર ગુસ્સો ન કરો અને તેમને સમજાવો
  6. બાળકોની દિનચર્યાઓ સેટ કરો અને તેમને અનુસરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :

Health: જો તમને કેળા ખાવા પસંદ છે, તો તેના નુકસાન પણ જાણી લો

Weight Loss: જો આ રીતે વજન ઘટી રહ્યું છે તો તે બિનસ્વાસ્થ્યકારક હોય શકે છે

Next Article